એક રૂપિયાનું દાન લીધા વગર અનેક વર્ષોથી સદાવ્રત ચાલવા પાછળ છે,આ કારણ.. મ
જ્યાં અન્ન નો ટુકડો ત્યાં હરિ ઢુંકડો! સૌરાષ્ટ્ર નાં મહાન સંત પરમ પૂજ્ય જલારામ બાપા ૧૪ નવેમ્બર ૧૭૯૯ ના રોજ જન્મેલા તેમના માતા રાજબાઈ તેમજ પિતા પ્રધાન ઠક્કર ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના હતાં. ધાર્મિક માતા રાજબાઈના કુખે પૂ. જલારામ બાપાનું અવતરણ થયું. સેવા અને ધર્મનો વારસો તો પૂ. શ્રી જલારામ બાપાને શરૂઆતથી જ પ્રાપ્ત થયેલ. સંત ભોજલરામને ગુરુ બનાવ્યા અને વીરપુરમાં સદાવ્રત કાર્યરત કર્યું હતું કે જે આજેપણ અવિરતપણે ચાલું છે.
જલારામ બાપાએ વિરપુરમાં સદાવ્રત શરુ કર્યું હતું, જ્યાં આજેપણ રોજના સરેરાશ ૫ થી ૬ હજાર શ્રદ્ધાળુઓ – ગરીબો ભોજન પ્રસાદ આપવામાં આવે છે, તહેવાર અને રજાના દિવસોમાં આ આંકડો ઘણો વધી જતો હોય છે જો કે મહત્વની વાત એ છે કે વિરપુર – જલારામ મંદિરમાં ક્યાંય દાન સ્વીકારવામાં આવતું નથી.છેલ્લા ૧૯૮ વર્ષથી વિરપુરમાં શ્રદ્ધાળુઓને ભોજન આપતું સદાવ્રત
એક રૂપિયા વગરનું દાન લીધા વગર કંઈ રીતે ચાલે છે આ દાન તેની પાછળ એક રસપ્રદ કથા છે. આ વાત છે ૧૯૩૪ (ઈ.સ. ૧૮૭૯) નો ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે જલારામ બાપાએ યાચકોને છુટ્ટા હાથે સદાવ્રત આપી હજારો મનુષ્યોને ભોજન આપેલું. સંવત ૧૯૩૫ના કારતક વદ નોમના દિવસે માતુશ્રી વીરબાઈમા પ્રભુભજન કરતાં કરતાં સ્વર્ગવાસી થયાં. ત્યારબાદ સંવત ૧૯૩૭ના મહાવદી ૧૦ને બુધવારે ભજન કરતાં કરતાં અને સેવકોને બોધ આપતાં ભક્તશિરોમણી શ્રી જલારામજી મહારાજ દેહ ત્યજી પ્રભુપદને પામ્યા.
સંવત ૧૯૩૭ના ફાગણ સુદ ૭ને શુક્રવારે ભક્ત હરિરામજીએ જગ્યાનો વહીવટ સંભાડયો. બાપા વૈકુઠ સીધાવ્યા ત્યારે ભક્તશ્રી હરિરામે શ્રી જલારામ બાપા પાછળ રૂપિયા ત્રીસ હજારના ખર્ચે સંતમેળો કર્યો હતો અને આ મેળામાં તે સમયે એક લાખ માણસો ભેગા થયા હતા. આ સંતમેળો ત્રણ દિવસ ચાલ્યો હતો અને આ દરમિયાન . આ મેળામાં જ એક અજાણ્યા સાધુ આવ્યા અને ભંડારામાં ગયેલ.
કહેવાય છે કે જલારામ બાપાએ રામજીની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરી અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા. તેમની સાથે સીતામાતા અને લક્ષ્મણની મૂર્તિ પણ પ્રગટ થઈ. એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થટેલા આ ચમત્કારને કારણે આ અનાજ ક્યારેય પૂરા જ નથી થતા. તે અક્ષયપાત્ર બની ગયું છે.