India

હવે આ દેશમાં પણ બનશે સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર, સરકારે આપી મંજૂરી

આપણે સૌ કોઈ જાણીએ છે કે, વીરપુરનાં બાપા જલારામ નો મહિમા અપાર છે.તેમના જીવનકાળ દરમીયાન ભજન ભક્તિ અને રામ નામનો ટુકડો ભૂખ્યાને ભોજન રૂપે આપ્યો છે. આજે પણ લોકો તેમના ધામમાં ભૂખ્યા પાછા નથી આવતા. બાપાની પ્રસાદીમાં જે તૃપ્તિ છે એ તો ભવ ભવ ની ભૂખ મટાડી દે છે. ત્યારે ખરેખર આપણે ધન્ય કહેવાય કે, આવા સંત શિરોમણી આપણને મળ્યાં છે.

ત્યારે આવા પવિત્ર વીરપુર નું સાનિધ્ય હવે ભારત દેશ ની બહાર બનવા જઇ રહ્યું છે, ત્યારે દરેક જલારામબાપા નાં ભક્તો અને હિંદુઓ માટે ગૌરવની વાત કહેવાય. ત્યારે અમે આપને જણાવીએ આખરે ક્યાં દેશમાં બાપા જલારામનું દિવ્ય મંદિર બનવાનું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, દુબઇમાં જલારામ બાપાનું મંદિર બનશે. આ અંગે દુબઈ સરકાર પણ મંદિર બનાવવા મંજૂરી આપી દીધી છે.કોઇપણ જાતના ફંડ ફાળા વિના આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

દેશ-વિદેશમાં વસતા રઘુવંશી સમાજ તથા જલારામ બાપાના ભક્તો માટે દુબઈમાં એક મંદિર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો અને આ માટેની જરૂરી પરવાનગી દુબઈ સરકાર પાસેથી માગવામાં આવતા તેમને હવે મંજૂરી પણ મળી ગઈ છે. આ મંદિર બનતા દુબઇમાં વસતા આપણાં ભારતીયો તથા અહીંથી દુબઇ જતાં જલારામ બાપાના ભક્તોને ટૂંક સમયમાં જ જલારામ બાપાના દર્શન દુબઇમાં કરવાની લાભ મળશે.

વીરપુર ની પરંપરા છે કે, અહીંયા પણ કોઇપણ પ્રકારની ભેટ-સોગાદ કે દાન-દક્ષીણા સ્વીકારવામાં આવતી નથી. તેમ છતાં અન્નક્ષેત્રની પ્રવૃત્તિ અવિરત ચાલી આવે છે. રાજકોટથી વીરપુરનું અંતર આશરે 60 કિલોમીટર જેટલું છે. જલારામ ભગતના ભારત બહાર પણ મંદિરો આવેલા છે જેમાં પૂર્વ આફ્રિકા યુનાઇટેડ કિંગડમ સંયુક્ત રાજ્ય અમેરિકા અને ન્યુઝિલેન્ડ મુખ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!