દીકરીના લગ્નના એક દીવસ પહેલા જ પિતા એ આપઘાત કરી જીવન ટુકાવી લીધુ ! આપઘાત કરવાનું કારણ…
ગુજરાતમાં લગ્નો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે જામનગર શહેરમાં એક ખૂબ જ દુઃખદાયી ઘટના બની છે. આ ઘટના વિશે જાણીને તમારી આંખોમાંથી આંસુઓ આવી જશે, વાત જાણે એમ છે કે દીકરીના લગ્નના એક દિવસ પહેલા જ પિતાએ આત્મહત્યા કરી લિધી. દીકરીની ડોલીના બદલે પિતાની અર્થી ઉપડતા જ ઘરમાં માતમ છવાઈ ગયેલ.
આ ઘટના વિશે અમે આપને વિગતવાર માહિતી આપીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, જામનગરના નવાગામ ઘેડ મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતા નરોત્તમભાઈ છગનભાઈ રાઠોડે આજે વહેલી સવારે પોતાના મકાનની બાજુમાં જ ચાલતી એક કન્સ્ટ્રક્શનની સાઇટ પર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લિધુ.વહેલી સવારે પિતાને ચા પીવડાવીને નરોત્તમભાઈ ઘરેથી નીકળ્યા હતા. જ્યારે થોડી જ વારમાં મોતના સમાચાર આવતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
દીકરીનાં લગ્ન સિક્કા ગામે નક્કી થયાં હતાં અને આવતીકાલે સિક્કાથી જાન આવવાની હતી. નરોત્તમભાઈના અન્ય ત્રણ ભાઈઓ સહિતનો પરિવાર લગ્નપ્રસંગને લઈને એકત્ર થયો હતો અને ઘેર માંડવો પણ બંધાઈ ગયો છે. એ દરમિયાન આજે વહેલી સવારે પોતે બહાર ગયા હતા અને બાદમાં પોતાના મકાનની બાજુમાં જ ચાલતી એક કન્સ્ટ્રક્શનની સાઇટ પર દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મૃતક નરોત્તમભાઈનો પુત્ર ત્યાંથી પસાર થતાં પિતાના મૃતદેહને લટકતો જોઈને. ચોકી ગયો હતો.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિટી બી. ડિવિઝનના પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. કયા સંજોગોમાં તેમણે આત્મહત્યાનું પગલું ભરી લીધું એ અંગે પરિવારજનો કોઈપણ બાબત જાણતા ન હોવાનું જણાવ્યું હતું. તેમને આર્થિક કોઈ તકલીફ ન હતી. હાલમાં પરિવાર દ્વારા લગ્ન સમારોહ મોકૂફ રખાયો છે. જ્યારે પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને પરિવારજનો દ્વારા અંતિમવિધિની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.