Gujarat

જન્મ પણ સાથે અને મૃત્યુ પણ સાથે ! 25 માળે થી જુડવા બાળકો પડતા બન્ને ના મોત થયા

વિધાતા લેખ સામે કોઈપણ મેખ ન મારી શકે! આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. કે મુત્યુ ગમે તે પળે જીવનમાં દ્વારે આવી ઉભી જાય છે. ત્યારે આજે અમે આપને એક એવી ઘટના જણાવીશું જેના પગલે પરિવાર પોતાના બે લાડકવાયા દીકરાઓ ગુમાવ્યા છે. ખાસ વાત એ છે કે આ બને ભાઈઓનો જન્મ પણ સાથે અને મૃત્યુ પણ સાથે! અમે આપને જણાવીએ કે આખરે ઘટના શું બની અને ક્યાં કારણોસર આ દુઃખ ઘટના બની.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સાથે જન્મનાર બને ભાઈઓ જે 14 વર્ષના હતા અને 9 માં ધોરણમાં અભ્યાસ કરતાં હતા. સદાય પોતાની સાથે જ રહેતા અને મુખ્યત્વે બંનેની કાર્યો સરખા અને સદૈવ સાથે જ રહેનાર ભાઈઓ સાથે એક દુઃખ ઘટના બની!સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગાઝિયાબાદનાં વિજયનગર વિસ્તારમાં શનિવારે રાત્રે 1.30 વાગ્યે બે જોડિયા ભાઈઓ 25મા માળેથી પડી જતા દુઃખ નિધન થયેલું અને પરિવાર એક સાથે બંને જ દિકરા ગુમાવી દીધા.

.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બંને ભાઈઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટના ત્યારે બની જ્યારે પિતા કોઈ કામ માટે મુંબઈ ગયા હતા અને માતા રૂમની અંદર હતી. અડધી રાત્રે જ આ બાળકો બાલ્કની માંથી પડી જતા મુત્યુ થઈ ગયું.પોલીસેબંને બાળકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયા હતા, જો કે તે જાણી શકાયું નથી કે બાળકો આટલી મોડી રાત સુધી બાલ્કનીમાં કેમ રમી રહ્યા હતા? પ્રશ્નો તો અનેક છે પણ હવે આખરે જાણવા મળશે કે, કંઈ રીતે મુત્યુ થયું.

મૂળ ચેન્નઈનાં રહેવાસી પરલી નારાયણના જોડિયા પુત્રો સૂર્ય નારાયણ અને સત્ય નારાયણ વર્ષના અને ધોરણ 9મા અભ્યાસ કરતા હતા. મધરાત્રે લગભગ દોઢ વાગ્યે બંને જોડિયા ભાઈઓ રૂમમાંથી બહાર આવ્યા. તે સમયે બાળકોની માતા અંદરના રૂમમાં હતી. કહેવામાં આવ્યું હતું કે તેઓ રમતી વખતે બંને બાળકો બાલ્કનીમાંથી નીચે પડી ગયા. રિપોર્ટ મુજબ જાણવા મળ્યું હતું કે, લગભગ 225 ફૂટ ઊંચાઈ પરથી બંને ભાઈઓ નીચે પડ્યા હતા અને તેમના માથામાં ઇજા થઈ હતી અને પાકું તળિયું હોવાથી મુત્યુ થયું.પ્રશ્ન એજ છે કે, અડધી રાત્રે બને ભાઈઓ બાલ્કનીમાં શું કરવા ગયા હશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!