Gujarat

જૂનાગઢ : ત્રણ મિત્રોનો ભોગ લેનાર ઇકોચાલકે પણ કર્યું મોતને વ્હાલું, બહેનના ઘરે જઈને ગળોફાંસો ખાધો….જાણો વિગતે

હાલમાં જ એક દુઃખદ બનાવ બન્યો હતો, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જૂનાગઢમા બાંટવા પાજોદ ગામ પાસે બુધવારની મોદી રાત્રે એક ભયંકર અકસ્માત થયો હતો અને આ અકસ્માતના કારણે એકી સાથે ત્રણ મિત્રોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં જ આ દુઃખદ ઘટનામાં વધુ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે, આવી ઘટના કદાચ ભાગ્યે જ બની હશે.

ગુજરાત ટેકના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, ત્રણ નિર્દોર્ષ વ્યક્તિનો ભોગ લેનાર ઇકોચાલકે પણ પોતાનું જીવન ટૂંકાવીને મોતને વ્હાલું કર્યું, આવું શા માટે કર્યું તે અંગે આપણે આ બ્લોગ દ્વારા માહિતી જાણીશું. પાજોદ ગામ આસપાસ ઈકો કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને બાઈકને અડફેટે લીધું હતું, આ દુઃખદ ઘટનામાં એકી સાથે જ ત્ર્ર્રણ મીત્રો ભરત નગભાઈ મોરી જેની ઉંમર 16 છે જયારે 25 વર્ષીય પરેશ પરબતભાઈ રામ અને 30 વર્ષીય હરદાસભાઈ કાળાભાઈ ઓડેદરાનું દુઃખદ અવસાન થયેલુ.

આ અકસ્માતની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. આ, દુઃખ ઘટના બાદ ઈકો ડ્રાઈવર નાથા દાસા કોડીયાતર એ પોરબંદરના કુતિયાણા નજીક વડા ગામે પોતાની બહેનના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પોતાની ભૂલના કારણે ત્રણ નિર્દોષોએ જીવ ગુમાવતા નાથા કોડીયાતરને ઘણું લાગી આવતા જીવન ટૂંકાવી લીધું હતું. આ દુઃખદ ધટનાને પગલે ત્રણ પૂત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!