“કરણ અર્જુન” ફીલ્મમા માં નુ પાત્ર ભજવનાર અભિનેત્રી ને આજે ઓળખવી મુશ્કેલ ! જાણો હાલ શુ કરે છે
દરેક કલાકાર પોતાની કારકિર્દીની ફિલ્મોમાં કોઈપણ એક ફિલ્મના કિરદાર દ્વારા લોકપ્રિયતા મેળવે. શાહરુખ ખાન અને સલમાન ખાનની ફિલ્મ કરણ અર્જુન વિશે તો તમેં સૌ કોઈ જાણતાં જ હશો. આ ફિલ્મનો સૌથી લોકપ્રિય ડાયલોગ ” મેરે કરણ અર્જુન આયેગે ” આ ફિલ્મમાં કરણ અને અર્જુનની મા નું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી હાલમાં શું કરે છે, અને કેવું જીવન જીવી રહ્યા છે, એના વિશે અમે આપને માહિતગાર કરીશું.
ભારતને અંગ્રેજ શાસનમાંથી આઝાદી મળી એ જ તારીખે એટલે કે૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે બંગાળના રાણાઘાટ નગરમાં એક વેપારી પરિવારમાં જન્મેલી રાખી મજુમદારની ફિલ્મ કારકિર્દી બોધુ બોરોન નામની બંગાળી ફિલ્મ (૧૯૬૭)થી શરૂ થઇ છે.સમય જતાં રાખીને હિન્દી ફિલ્મ જીવનમૃત્યુ (૧૯૭૦)માં તક મળી અને તેની ઝળહળતી કારકિર્દી શરૂ થઇ.જોકે ઉજળી કારકિર્દી અને સફળતા સાથોસાથ રાખી પર કુટુંબને મદદરૂપ થવાનો બોજો પણ આવ્યો હતો.
બોલીવુડની પહેલી જ ફિલ્મ જીવનમૃત્યુ(રાખી-ધર્મેન્દ્ર)થી સુપરહીટ સફળતા મેળવનારી રાખીના જીવનમાં ભલે ઘણા આરોહ-અવરોહ આવ્યા પણ તેની જિંદગીનું કેન્દ્ર તેની વ્હાલસોયી દીકરી મેઘના છે.પોતાની અતિ વ્યસ્ત ફિલ્મ કારકિર્દી સાથે રાખીએ પુત્રી મેઘનાનો ઉછેર ભરપૂર પ્રેમ અને ઉજળા સંસ્કારોથી કર્યો છે. આજે જેટલા એકલા, બધાથી દૂર, ગુમ છે તેને શબ્દોમાં ન ઢાળી શકાય.
ક્યારેક તે લાખો, કરોડો દિલોની ધડકન હતા. આજે તે પોતાની કર્મભૂમિ મુંબઈથી 50 કિલોમીટર દૂર પનવેલના ફાર્મહાઉસમાં રહેવા મજબૂર છે. ઓછું દેખાય છે, ઓછું બોલે છે, પોતાની જ દુનિયામાં જીવે છે. પરંતુ આવું પહેલેથી નહોતું. એક સમય એવો પણ હતો જ્યારે તેમના પાછળ ફરીને જોવાથી જ મોસમ બદલાઈ જતી હતી. રાખીના કરિયરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ફિલ્મો કે રોલ પાછળ બીજા અભિનેત્રીઓની જેમ નથી ભાગ્યા.
રાખીની જિંદગીમાં ગુલઝારનું આગમન નવો વળાંક હતો. 1973માં ગુલઝાર સાથે લગ્ન બાદ રાખીએ ગુલઝારના કહેવા પર ફિલ્મમા કામ ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ જ્યારે તેમની પુત્રી મેઘના લગભગ દોઢ વર્ષની હતી ત્યારે આ લગ્ન પણ તૂટી ગયા. જો કે બેંને વચ્ચે ડિવોર્સ ન થયા. અને મેઘનાને હંમેશા બંનેનો પ્રેમ મળ્યો. એકલતાના દર્દ લીધે તેમણે ફિલ્મોને ફરી જીવન જીવવાનો આધઘાર બનાવ્યો. તમને યાદ હશે કે ગત વર્ષે હોળી પર રાખી અને ગુલઝારની આ તસવીરો ખૂબ વાઈરલ થઈ હતી.
ગુલઝારથી છૂટા પડ્યા બાદ રાખી માટે બીજી ઈનિંગ ધમાકેદાર રહી, જેમાં તેમણે ઘણી હિટ ફિલ્મ આપી. જેમાં કભી-કભી, કસમે વાદે, ત્રિશૂલ, મુકદ્દર કા સિકંદર, દૂસરા આદમી, જુર્માના, કાલા પત્થર સામેલ છે. 2009 બાદ તે સિલ્વર સ્ક્રીન પર નથી દેખાયા અને નાની સ્ક્રીનમાં તેમણે ક્યારેય રસ નથી દાખવ્યો. એવામાં સૌથી દૂર થતા થતા રાખી બોલીવુડની ગ્લેમરસ લાઈફસ્ટાઈલથી પણ દૂર થઈ ગયા.જો તમે તેમને આજે જોશો તો પહેલી નજરે ઓળખી પણ નહીં શકો. ફિલ્મ ફેરથી લઈને નેશનલ એવોર્ડ અને પદ્મશ્રી પુરસ્કાર તેમને મળી ચૂક્યા છે, પરંતુ તેમને કોઈ જીવનસાથી ન મળ્યો અને હાલમાં એકલા જ રહે છે. તેમના નજીકના લોકો કહે છે કે તેમને શાંત જીંદગી જીવવી ગમે છે.