કરણી સેના ના નગર સચિવ 28 વર્ષિય રોહિત સિંહ રાજપૂતની જાહેર મા કરપીણ હત્યા કરાઈ ! જાણો વિગતે
હાલમાં જ કરણી સેનાના નગર સચિવ 28 વર્ષિય રોહિત સિંહ રાજપૂતની જાહેર મા કરપીણ હત્યા કરાઈ છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મધ્યપ્રદેશના ઈટારસીમાં કરણી સેના નગર સચિવ 28 વર્ષિય રોહિત સિંહ રાજપૂતની શુક્રવારે રાત્રે જાહેરમાં હુમલો કરીને હત્યા કરી દેવાઈ હતી. આ દુઃખદ ઘટનામાં મિત્ર સચિન પટેલે બચાવવા ગયો તો તેના પર હુમલો થયેલ.
સૌથી દુઃખદ વાત એ છે કે સારવાર દરમિયાન એકનું નિધન થયું છે.તેમજ સચિનની હાલત હજુ પણ ગંભીર બતાવાઈ રહી છે.
પોલીસ વિભાગ દ્વારા જાણવા મળ્યું કે, રોહિત સિંહ રાજપૂતની જૂના વિવાદને લઈને હત્યા કરવામાં આવી છે.આ ઘટનામાં મુખ્ય આરોપી 27 વર્ષીય રાનુ ઉર્ફે રાહુલ છે. આ ઘટના ત્યારે બની જ્યારે ત્રણેય મિત્ર મુખ્ય બજાર વિસ્તારમાં ચાની દુકાન પાસે ઉભા હતા ત્યારે ત્રણ લોકો બાઇક પર આવ્યા હતા અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો
આ દરમિયાન આરોપી છરી કાઢીને રોહિત સિંહ રાજપૂત પર હુમલો કર્યો હતો. જેના કારણે રોહિતનું મોત થયું હતું. ત્રણેય આરોપીઓ રાહુલ રાજપૂત, અંકિત ભટ અને ઈશુ માલવિયાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.આ ઘટના બાદ એસડીએમ મદન રઘુવંશી, એસડીઓપી મહેન્દ્ર ચૌહાણ અને અન્ય અધિકારીઓની હાજરીમાં એક આરોપી અંકિત ભટનું ઘર અતિક્રમણને ટાંકીને તોડી પાડવામાં આવ્યું હતું
પાંચ દિવસ પહેલા આ જ વિસ્તારમાં બેંક કર્મચારી અભિષેક માલવીયને પણ આવરા તત્વોએ માર માર્યો હતો. પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સ્થાનિક ધારાસભ્ય ડો.સીતાશરણ શર્મા તે જ રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને શહેરમાં વધી રહેલા ગુનાઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. થોડા દિવસ પહેલા વીજ વિભાગના અધિકારીઓ પર દુષ્કર્મનો આરોપ લગાવતાં ભાજપના વરિષ્ઠ નેતા શર્માએ પોતાના સમર્થકો સાથે ઈટારસીમાં પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
