કાશ્મીર મા બેંન્ક મેનેજર….
આજકાલ કાશ્મીરમાં આતંકવાદીઓનો ખૂબ જ ત્રાસ ફેલાઈ રહ્યો છે, અને તેમાં પણ કાશ્મીરના કુલગામના એક બેંક મેનેજરને આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ બેંક મેનેજર નું નામ વિજય કુમાર છે. અને તે રાજસ્થાન હનુમાનગઢ જિલ્લાના ભગવાન ગામમાં રહે છે. માત્ર ચાર મહિના પહેલા જ વિજય કુમાર ના લગ્ન 10 ફેબ્રુઆરીએ મનોજકુમારી નામની યુવતી સાથે થયા હતા. અને તેમના લગ્નને માત્ર 10 દિવસ થયા હતા અને તૈયારીમાં જ તે ફરજ ઉપર પાછા ફર્યા હતા.
વિજય કુમાર ના લગ્ન અને માત્ર દસ દિવસ થયા ત્યારે તે પોતાની ફરજ ઉપર બેંકમાં પાછા ફર્યા હતા અને એક મહિના પછી તેમના પત્ની કાશ્મીર આવ્યા હતા. તેમના લગ્નનો સંપૂર્ણ વિડીયો જોવા બધા જ પરિવારના સભ્યો અને વિજય બધા જ જ્યારે વિજય તેમની ઘરે આવશે ત્યારે સાથે બેસીને જોશે તેવું નક્કી પણ કર્યું હતું. ત્યાર પછી પરિવારના સભ્યોને તેને વચન પણ આપ્યું કે જુલાઈમાં હું ગામ પાછો આવીશ ત્યારે ઘરના લોકોને બિલકુલ પણ જાણકારી હતી નહીં કે તેમની પત્ની વિજયને સાથે નહીં પરંતુ તેમની લાશ લઈને પાછી ફરી રહી છે.
શુક્રવારે સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ વિજયનો મૃતદેહ તેમના મિત્ર અને તેમના પત્ની લઈને ભગવાન ગામ પહોંચી ગયા હતા. આમ પોતાના પુત્રનો મૃતદેહ જોઈને વિજયની માતા ખૂબ જ રડવા લાગી હતી અને તેમના પિતા પણ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. તેમનો મૃતદેહ એમ્બ્યુલન્સ દ્વારા ગામમાં પહોંચાડવામાં આવ્યો હતો અને થોડા સમય બાદ તેમની અંતિમ વિધિ અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
વિજયકુમાર કુલગામ જિલ્લાના અરેહ મોહનપુરા ગામે આવેલ બેંકમાં મેનેજરની પોસ્ટ પર હતા. તેઓની છેલ્લા ચાર વર્ષથી કાશ્મીરમાં પોસ્ટ હતી અને તેમના લગ્ન હનુમાનગઢ ના પાક્કા સારણ ગામમાં ગયા હતા. આમ તે પોતાના લગ્નના દસ દિવસ પછી પાછા પોતાની ડ્યુટી પર ઉપર આવી ગયા હતા. અને તે પોતાના પિતાને મળવા માટે પણ એક વખત પણ આ ગામમાં ફરી આવ્યા ન હતા, અને તેમને પરિવારજનોને જણાવ્યું હતું કે તેઓ જુલાઈમાં પાછા આવશે પરંતુ તેમના પહોંચતા પહેલા જ તેમની લાશ ત્યાં પહોંચી ગઇ હતી. તદુપરાંત તેમના પરિવારજનોએ કહ્યું કે તે કેડર બદલવા માંગતો હતો અને તેની માટે તેમને એક પરીક્ષા પણ આપી હતી.
વિજય કુમાર ના પિતા એક સરકારી શિક્ષક છે, અને તેઓ બિલકાલ ગામ માં નોકરી કરે છે. તથા તેમના કુટુંબમાં તેનો એક નાનો ભાઈ છે અને તે અભ્યાસ કરે છે તથા પરિવારની પરિસ્થિતિ ખૂબ જ વાકેફ હતો તેથી તેમના માતા-પિતા દરરોજ આ બંને સાથે વાતચીત કરતા હતા અને તેની માટે વિડીયો કોલ પણ કરતા હતા તેથી તેની જાણકારી રહે કે ત્યાં બધું બરાબર છે કે નહી. વિજય તેમના માતા-પિતાને કહેતો હતો કે અહીં બધું જ બરાબર છે તમારે અહીં મને મળવા આવવું જોઈએ તેમ પણ જણાવ્યું હતુ.
મળતી માહિતી અનુસાર વિજય કુમાર નો મૃતદેહ ગામ પહોંચી ગયો છે અને મૃતદેહને તેમની પત્ની જ લાવી છે તેમ તેમની સાથે નોહરના કેટલાક લોકો છે તે પણ આવ્યા છે.