દેશી ઓસડીયા વેચતા આવી રીતે બની કરોડો ની બ્રાન્ડ કંપની! જાણો ભાવનગર ના શેઠ બ્રોધર્સ ની સફળતા…
ખરેખર જીવનમાં સફળતા ક્યારે મળી જાય એ કોઈ નથી જાણતું. આજે આપણે વાત કરીશું ગુજરાતની નંબર વન બ્રાન્ડ કાયમ ચૂર્ણ વિશે.ગુણવત્તાને સંપૂર્ણ રીતે વળગી રહેવું, આત્મવિશ્વાસ, ઉત્સાહ અને ધૈર્ય હોય તો સફળતા દૂર નથી. આ વીધાનનું સચોટ ઉદાહરણ એટલે સ્વ. રસિકભાઇ શેઠ. એક વ્યક્તિ, એક કુટુંબ અને એક પ્રોડકટ એટલી સફળ અને મશહૂર બને કે એ કબજીયાતના ઉપચારનો પર્યાય બની ગઈ છે.
એક સમયે દેશી ઓસડીયા વેચતા હતા અને આજે કરોડોની સંપત્તિ ધરાવે છે.ખુબ જ નાની ઉંમરે કુટુંબની જવાબદારી રસિકભાઇ અને તેમના ત્રણ લધુબંધુઓ કિશનભાઇ, અશોકભાઇ અને કીરીટભાઇ ઉપર આવી પડેલી. કુદરતી ઉપચાર, આયુર્વેદ અને જડીબુટ્ટીઓ સાથે સતત સંપર્કમાં રહેવાથી, આયુર્વેદનું ઝીણવટભર્યુ જ્ઞાન હોવાથી એ જ વ્યવસાય બન્યો. ઇ.સ. 1972માં શેઠ બ્રધર્સની સ્થાપના થઇ. કંપનીનું પ્રથમ ઉત્પાદન હતું. ‘કોમલા ગુટીકા’ થઈ હતી.
ચરબી ધટાડવા અને આવી ચોક્કસ મેદસ્વીતા ધટાડવા માટે રજૂ થયેલા આ પ્રથમ ઉત્પાદનને ગુજરાત અને મહારાષ્ટ્રની બજારમાં સફળતા મળી.આ ઘટના બાદ તેમને વર્ષ 1974માં રજૂ થયું ‘કાયમ ચૂર્ણ’. શાસ્ત્રોકત વિધી તેમજી જડીબુટ્ટીઓ દ્વારા કબજીયાત, એસિડીટી અને પેટની તકલીફના કારણે થતા માથાના દુખાવામાં રાહત આપતું આ ચૂર્ણ આજે ‘શેઠ બ્રધર્સ’ની ઓળખ બન્યું છે. મહિને 13 લાખ બોટલના વેચાણ ધરાવતા આ બજારમાં 50 ટકા બજાર હિસ્સો કાયમચૂર્ણનો છે!!
ત્યાર બાદ ટેબલેટ રૂપે પણ કાયચૂર્ણ બજારમાં આવ્યું. ચાર દાયકાથી કંપની કાર્યરત છે. સફળતાના નવા શિખરો સર કરી રહી છે.કાયમચૂર્ણ પછી બિજોરીન ચૂર્ણ 1978માં બજારમાં મુકવામાં આવેલું. પાચનમાં મદદરૂપ થાય, હિંગાસ્ટકનીજેમ ટેસ્ટ માટે પણ ખાઇ શકાય એવી આ પ્રોડકટ અત્યારે પણ બજારમાં લોકપ્રિય છે.પછી, 1980માં ‘સોમવા 34’ નામની પ્રોડકટ બજારમાં આવી. ગુજરાતમાં બાળકીને પેટ સાફ રહે એ માટે કડવા પાવામાં આવે છે. ‘સોમવા 34’ સંપૂર્ણપણે આયુર્વેદીક કડવાણીછે. કાયમચૂર્ણની જેમ જ ‘સોમવા 34’ પણ શેઠ બ્રધર્સની એક ઓળખ છે. દેશ વિદેશમાં તેમની સફળતા ન શિખરો શર કરી રહ્યા છે.દેવેનભાઈ ભાવનગરનું નામ આર્થિક રીતે તો સધ્ધર કર્યું પણ સાથો સાથ ગ્રીન સીટી બનાવામાંમાં મહત્વનું યોગદાન આપ્યું છે.