Gujarat

ખજુરભાઈ સગાઈના બંધન મા બંધાયા ! જુઓ તેમના જીવન સાથી ની તસ્વીરો અને જાણો કોણ છે મિનાક્ષી દવે..

ગુજરાત મા ખજુરભાઈ એટલે કે નિતીન જાની ને કોણ નથી ઓળખતું હોય ગુજરાત સહીત દેશ અના દુનિયા તેમનું નામ અને કામ બોલે છે અને ગુજરાત ના સોનું સુદ તરીકે પણ જાણીતા છે ત્યારે હાલ જ તેમના વિષે એક ખુબ જ સરસ સમાચાર મળી રહ્યા છે જેમા જાણવા મળી રહ્યુ છે કે ખજુરભાઈ એટલે કે નિતીન જાની એ પોતાના જીવનસાથી પસંદ કરી લીધા છે.

ખજુરભાઈ એ પોતાના instgram એકાઉન્ટ પર એક પોસ્ટ કરી ને આ વિશે માહિતી આપી છે. જેમા એક તસ્વીર સાથે લખ્યુ છે કે partner અને તસવીરો મા તેમની સાથે તેની લાઈફ પાર્ટનર છે જેનુ નામ મિનાક્ષી દવે છે. આ ફોટો મુકતા ની સાથે જ ખજુરભાઈ પર અભિનંદન નો વરસાદ થયો છે અને ગુજરાત ના મોટા મોટા કલાકરો જેમા કીંજલ દવે , ગીતાબેન રબારી સહીત અનેક લોકો એ અભિનંદન પાઠવ્યા છે.

જો ખજુરભાઈ એટલે કે નિતીન જાની ના પાર્ટનર ની વાત કરવા મા આવે તો તેમનું નામ મિનાક્ષી દવે જાણવા મળેલ છે તેવો પણ ઇન્સ્ટાગ્રામ પર છે અને હજારો મા ફોલોઅર્સ ધરાવે છે. આ ઉપરાંત તેવો વિષે અન્ય માહિતી સામે આવી નથી. ખજુરભાઈ એ પોસ્ટ કરેલ તસવીરો મા બન્ને ગણ ખુશ દેખાઈ રહ્યા છે અને મિનાક્ષી ને ખજુરભાઈ એ ભેટ મા આઈ ફોન આપ્યો છે તેની તસ્વીરો પણ જોવા મળી રહી છે.

જો ખજુરભાઈ ની વાત કરવા મા આવે તો તેવો એ શરુવાત ના સમય મા ઘણો જ સંઘર્ષ નો સામનો કરવો પડ્યો હતો જ્યારે એક યુ ટ્યુબર તરીકે નામ બનાવ્યા બાદ તેવો સમાજ સેવા તરફ વળી ગયા હતા અને તાવુતે વાવાઝોડા બાદ અનેક લોકો ના પડી ગયેલા ઘરને ફરી થી બનાવી અનોખુ સમાજસેવા નુ કામ કર્યુ હતુ. જ્યારે હાલ ખજુરભાઈ દરેક ગુજરાતીઓ ના દીલ મા વસી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!