ખોડિયાર માં પર વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામીનરાયણ સંત પર રાજભા ગઢવી ભડક્યા ! કહ્યું “આપણે ક્યાં સુધી આવું સહન કરી લેશું…જુઓ વિડીયો
એક પછી એક એવા વિવાદો થઈ રહ્યા છે, કે સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદના વટોળથી વધુ ઘેરાઈ રહ્યું છે. આપણે જાણીએ છે કે હાલમાં જ સાળંગપુર વિવાદનો અંત આવ્યો છે, ત્યારે હાલમાં જ વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેના લીધે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ બનાવ અંગે વધુ વિગતવાર જાણીએ.
સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી ઉપર વિવાદિત ટિપ્પણી કરી. આ સ્વામી એ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પ્રસંગ બન્યો. ભગતે કહ્યું કે આ તો અમારા કુળદેવી છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના કપડા નિચોવ્યા અને કહ્યું કે આ લ્યો હવે તમારા કુળદેવી સત્સંગી થયા. સ્વામી બોલે છે કે લ્યો હરિ હરિ ભગતો ખોડિયાર માતાજી સત્સંગી થયા. વીવાદીત નિવેદનના કારણે પાટીદાર સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી છે જયારે સનાતન ધર્મના સંતો મહંતો પણ હાલ રોષે ભરાયા છે.
એટલું જ નહીં હવે ફરી એક વખત સંતો મહંતો તથા કલાકારો આ વિવાદને લઈને મેદાનમાં આવી ગયા છે, તમને જણાવી દઈએ કે રાજભા ગઢવીએ પોતાના કાર્યક્રમની અંદર ખોડિયાર માં વિશે આવી બફાટ કરનાર સ્વામીને કારણે ગુસ્સે થયા હતા અને પોતે આવું નિવેદન આપ્યું હતું, રાજભા ગઢવીએ કહ્યું કે આતો આપણી સભ્યતા આપણને રોકે છે, કુળદેવી,સુરાપુરા અને ઇષ્ટદેવથી દૂર કરવાની વાત કરનારની બોચી પકડો ક્યાં સુધી આપણે આવું સહન કરીશું.
રાજભા ગઢવીએ આગળ કહ્યું હતું કે અમારી માતાજી એ કેટલાય રાક્ષસોના વદ કર્યા છે હવે તમારો વારો છે જે ખોડિયાર માં વિશે આવું બોલ્યા છે,મને વિચાર થાય છે કે તેઓ ક્યાં સ્ટેજે પોહચીને આવું કહે છે કે કુળદેવીને આમ ધક્કો મારી દીધો તેના પર વસ્ત્રો નીચોવ્યા આ બધું ક્યાં સુધી સહન કરી લેશું?આપણી સાથે જ ઠાકર ને માતાજી એમાં કાંઈ ફેર નથી પડ્યો.
ખોડિયારમાં વિશે વિવાદિત ટિપ્પણી કરનાર વિશે રાજભા ગઢવી શું બોલ્યા?? જુઓ વિડીયો 👇👇#gujarat #viralvideo #rajbhagadhvi pic.twitter.com/rTAtRKTcN5
— Gujarati Akhbar (@TodayGUJARAT1) September 13, 2023
નોંધ : વાયરલ થયેલ આ વીડિયોની કોઈ પણ જાતની પુષ્ટિ અમારી વેબસાઈટ “ગુજરાતી અખબાર” કરતું નથી, આ વીડિયોને સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલ છે. જો તમે રોજબરોજની માહિતીથી માહિતગાર રહેવા માંગતા હોવ તો જોડાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં.