આ ગામમાં જન્મેલ ગુજરાતી અભિનેત્રીનું જીવન આવું હતું અને આજે જાણો શું કરે છે….
ગુજરાતી સિનેમા ઘણી અભિનેત્રીઓએ રાજ કર્યું છે, ત્યારે આજે આપણે વાત કરીશું ગુજરાતી સિનેમાની એક એવી અભિનેત્રી વિશે જેને દર્શકોના હૈયામાં પોતાની જગ્યા બનાવી અને પોતાની નામના મેળવી. આ અભિનેત્રી એટલે કિરણ આચાર્યા. તમને જાણીને નવાઈ લાગશે કે, ‘બિયાબાન’ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કિરણ આચાર્ય ઘણી છવાઈ ગઈ છે. આ નોંધનીય છે કે આ ફિલ્મથી ગુજરાતી એક્ટ્રેસ કિરણ આચાર્યએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં ડેબ્યૂ કર્યું છે.
ગુજરાતી સિનેમામાં અનેક યાદગાર ફિલ્મો આપનાર જેમ કે,
‘દે તાલી’, ‘એક્કો બાદશાહ રાણી’, ‘પિયુ તારો કરે પોકાર’ અને ‘સાજણ તારા વિના સુની જિંદગી’ જેવી ફિલ્મો દ્વારા તેને અભિનયની કારકિર્દીમાં સફળતા મેળવી છે. પોતાના અભિનયની સફરમાં તેને, હિતેન કુમાર હોય, હિતુ કનોડિયા હોય, ચંદન રાઠોડ હોય કે પછી સંજય મૌર્ય જેવા કલાકારો સાથે કામ કર્યું છે.
કિરણ આચાર્યા મૂળ ભાવનગર થી અને ગુજરાતી સિનેમામાં ‘કેસર કેશવ ને કંકુ’ તથા ડી. વી. પટેલની ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ જેવી ફિલ્મોમાં કિરણ પોતાના અભિનયના કિરણો પાથર્યા હતા. ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણકાંત પંડ્યાએ ‘પનાહ’, ‘થોડી સી બેવફાઇ’, ‘બેદર્દી’ અને ‘હત્યા’ જેવી ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. ઉપરાંત તેમણે ‘પૃથ્વીરાજ ચૌહાણ’,’જય શ્રી ક્રિષ્ના’ અને અન્ય સીરિયલ્સ પણ ડિરેક્ટ કરી છે.કિરણ આચાર્યએ અનેક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે.’બિયાબાન’ એ ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ કિરણ આચાર્યની ડેબ્યૂ હિંદી ફિલ્મ છે.
ફિલ્મી કરિયરની સાથે સાથે કિરણ પોતાની જીંદગીમાં આવતા ચઢાવ ઉતારમાં પણ હમેશા ચર્ચામાં રહે છે, છતાં પણ પોતાના ફિલ્મી કરિયરમાં સફળતા મેળવી. અત્યાર સુધીમાં કિરણ આચાર્યે ૪૦થી પણ વધારે ગુજરાતી ફિલ્મો આપી છે. ભવ ભવના ભરથાર’ થી શરૂ થયેલી તેની કારર્કિદી આજ સુધી સતત ચાલુ જ છે.
કિરણ આચાર્ય અને જીત ઉપેન્દ્રની જોડી ચાણક્યની છેલ્લી ચાલ, જયસુર્યા અને દિલ દોસ્તી અને દુશ્મનીમાં જોવા મળી હતી.’સાજણ તારા વિના સુની જીંદગી’ ફિલ્મ કિરણ આચાર્ય અને જીત ઉપેન્દ્રની જોડીની ચોથી ફિલ્મ ગણી શકાય અને આ ફિલ્મ ઘણી સુપરહિટ રહી હતી.આ ફિલ્મો પછી તેમની અનેક ગુજરાતી ફિલ્મો આવી છે અને આજના સમયમાં પણ ગુજરાતી સિનેમા સાથે સંકળાયેલ છે. ગુજરાત સિનેમા અનેક અભિનેત્રીઓ જે રીતે રાજ કર્યું તેમ કિરણ પણ અથાગ પરિશ્રમ અને મહેનત દ્વારા ગુજરાતી ફિલ્મોના નામના મેળવી. આજના સમયમાં લોક કલ્યાણ અર્થે રાજનીતિમાં પણ સંકળાયેલ છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયને સેવા કાર્ય કરી રહ્યા છે.