કિર્તીદાન ગઢવીએ પોતાની ન્યુઝ ચેનલનું લોકાર્પણ કર્યું!! આ ખાસ કાર્યક્રમમાં પોહચ્યાં ધીરેન્દ્ર શાસ્ત્રી, ભીખુદાન ગઢવી… જુઓ તસ્વીરો
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીએ એક નવું સાહસ ખેડ્યું છે. શુન્ય માંથી સર્જન કરી ચૂકેલા કિર્તીદાન ગઢવી વધુ એક સિદ્ધિ તરફ આગળ જઈ રહ્યા છે.
વાત જાણે એમ છે કે, કિર્તીદાન ગઢવી અને મુન્ના પી.ગઢવી એમ બંને ભાગીદારો દ્વારા પ્રભુદાન ન્યુઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટીવી 13 હકથી ગુજરાતી ન્યુઝ ચેનલ શરૂ થવા જઈ રહી છે.
ગઈકાલ એટલે કે 20 ઓકટોબરના રોજ અમદાવાદના હોટલ હિલ્લોકમા ખાતે ટીવી ચેનલનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને આ શુભ પ્રસંગેબાબા બાગેશ્વર પૂ.ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં નવા સોપાનનું લોકાપર્ણ કરવામાં આવ્યું.
.સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાતમાં અનેક શહેરોમાં લાઈવ વ્યુ કીટ, જર્નલિસ્ટની ટીમ સાથે નવી ચેનલ શરૂ થશે ટીવી 13 ચેનલની ઓફીસ અમદાવાદમાં એસ.જી બિઝનેસ હબ બિલ્ડિંગ, ગોતા ફ્લાય ઓવર, એસ જી હાઈ વે ખાતે આવેલ છે.
આજ રોજ તેમને લોકાર્પણ ની તસવીરો શેર કરતા લખ્યું કે, ગૌરવવંતા ગતિશીલ ગુજરાત ના પત્રકારત્વ માં નવો ઉદય.શક્તિ આરાધના મહાપર્વ ના છઠા નોરતે TV 13 ગુજરાતી ન્યુઝ ચેનલ નુ લોકાર્પણ થયું, આ લોકાર્પણ અવસર માં પધારેલા સૌ મહાનુભાવો અને સ્નેહીજનો નો દિલ થી આભાર.
આ લોકાર્પણ અવસરે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા , ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ ભીખુદાન ગઢવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.