Gujarat

કિશન ભરવાડ ની હત્યા મામલે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર શુ કીધું????

કિશન ભરવાડ ની હત્યા એ હવે રાજકીય રાજકીય મુદ્દાનું સ્વરૂપ બની રહ્યું છે. ત્યકિશન ભરવાડની હત્યા મામલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને આવીને આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસે આ મુદ્દે મતનું રાજકારણ ચાલતું હોવાના આક્ષેપો કર્યા છે. તો ભાજપના નેતાએ કોંગ્રેસ પર આ ઘટનાને રાજકીય મુદ્દો બનાવવાનો આક્ષેપ કર્યો છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર અને મહત્વની છે.

આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ પટેલે નિવેદન આપ્યું હતું કે, આ ગુનેગારોને સખતમાં સખત સજા થાય તે પ્રકારનું સ્ટેન્ડ અમારું છે. મારે સરકારને પૂછવું છે કે, 26મી જાન્યુઆરી હતી અને રેડ એલર્ટ હતું. ભારતીય જનતા પાર્ટી સાથે સંકલન કરવાવાળા સંગઠન છે.

ઉશ્કેરાટ ઉભો કરે છે તેમને પૂછવું છે કે, ગોધરા અને તે પછી બનાવોમાં જે હિંદુવાદના નામ પર તમે જે યુવાનોને ભડકાવ્યા અને યુવાનોને સજા થઇ તે આજે પણ જેલોમાં છે તેનો કોઈ ભાવ પૂછોછો ખરા? માત્ર તમારો ઉશ્કેરાટ નવલોહિયા યુવાનોનો જીવ લે છે કોકને જેલમાં મોકલે છે અને તમારું મતનું જે રાજકારણ ચાલે છે તેને પણ રુક્જાઓ કહેવાનો સમય આવી ગયો છે.

આ બાબતે ભાજપના નેતા ઋત્વિજ પટેલે નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે ખૂબ જ નિરાશાજનક છે. હતાશ, થયેલી અને નિરાશ થઇ ગયેલી કોંગ્રેસને કોઈ મુદ્દા નથી. તેવા સમયે કમનશીબે આ ઘટના બની છે ત્યારે આ ઘટનાને મુદ્દો બનાવીને રાજનીતિ કરવાનું નીચલા સ્તરનું કામ તે કોંગ્રેસ કરવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી બિલકુલ નથી ઇચ્છતી કે આ ઘટનાને કોઈ કોમ્યુનલ કે પછી રાજકીય રંગ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!