Viral video

કોકીલા બેન અંબાણી એ જાહેરમાં કરી ધીરુભાઈ અંબાણીની સફળતાની વાત, કહ્યું કે ચોરવાડ અમારું….જુઓ વિડિયો

આજનો દિવસ અમારા માટે અને ગામના લોકો માટે ખુબ જ આનંદનો દિવસ છે. સૌથી પહેલા તો અનંત અને રાધિકા ચોરવાડી માતાજીના દર્શન કરવા આવ્યા. એ જાણીને હું તો ખુશી થાઉં પણ ગામના લોકો ઘણા ખુશી થાય કે, અનંતભાઈ અને રાધિકબેન લગ્ન પહેલા ચોરવાડી માતાજીના દર્શન કરવા માટે પધાર્યા. હવે તમને બધાને ખબર છે કે, મારા અને ધીરુભાઈના લગ્ન ચોરવાડમાં થયેલા. આજે લગ્નના 70 વર્ષ થયા ગયા છે અને આજે અમારા લગ્નનો જ દિવસ છે અને કો- એક્સિડેન્ટલી આજે 12મી માર્ચ અને આજે માતાજીએ ચોરવાડના કૌટુંબિક જનો, ચોરવાડના માણસો નહીં કારણ કે ચોરવાડ અમારું કુટુંબ છે. આજે કૌટુંબિક જનો પધાર્યા છે, મને આનંદ થાય છે.

તમને બધાને ખ્યાલ છે કે, ધીરુભાઈએ મેટ્રિકની એક્ઝામ આપીને એડન ગયા. એડન ગયા ત્યારે એમનું રિઝલ્ટ આવ્યું કે તમે પાસ થઇ ગયા. બાપુજીએ સંદેશ મોકલાવ્યો, તો ધીરુભાઈ એ રસિકભાઈને કહ્યું કે પાસ થયા કે નપાસ શુ ફરક પડે છે, હું તો એડન નોકરી કરવા આવી ગયો છું. ૭ વર્ષથી નોકરી કર્યા બાદ એડનમાં સિટીઝન શિપ મળી પણ ધીરુભાઈ એ બીજા દિવસે રીઝાઈન આપી દીધું અને તેમના મોટાભાઈ રમણીકભાઈ એ બહુ સમજાવ્યા કે આટલી સારી નોકરી મૂકીને જવાઈ નહી. ના મને મારું તકદીર અજમાવું છે અને માટે ઇન્ડિયા જવું છે.

 

ભાઈ એ કહ્યું કે ઇન્ડીયામાં જઈને શું કરીશ તો ધીરુભાઈ એ કહ્યું કે ભગવાન મને જે રસ્તો બતાવશે તેમાં આગળ વધીશ. મને ખ્યાલ છે કે હું ઇન્ડીયામાં કંઇક કરવા જ માંગુ છું. શું કરવું તે મને ઈશ્વર તક આપશે તેમાં જ આગળ વધીશ. કોકિલાબેન અંબાણી એ કહ્યું કે તમારા બધાના શુભાશિષથી ઘણા આગળ વધ્યા અને વરસો પછી ધીરુભાઈ એ જામનગરમાં રિફાઇનરીની સ્થાપના કરી અને ત્યારથી આપણા જામનગરનું નામ ખૂબ જ આગળ આવી ગયું અને એમાં પણ અનંત અને રાધિકાની પ્રિ વેડિંગ સેલિબ્રેશન કર્યું એમાં જામનગરનું નામ ઈનટરનેશલ મેપ પર આવી ગ્યું.

એમાં અમે ચોરવાડને પહેલા યાદ કર્યું છે કારણ કે ચોરવાડથી જ અમારાં ભવિષ્યનું નિર્માણ થયું છે, એને ક્યારેય ભૂલી ન શકીએ” જ્યારે રિલાયન્સ ને Publick Ltd કરવાની હતી ત્યારે અમે ચોરવાડ માતાજીના દર્શનાર્થે આવ્યા અને ત્યારે પણ લોક ડાયરાનું આયોજન કરેલું અને ધીરુભાઈ એ સૌ સગા સંબાંધીને રિલાયન્સના શેર ખરેદવાનું કહ્યું, ત્યારે તમારા શુભ આશિષથી આપણું ઇસ્યુ પણ સારું થયું હતું. ત્યારે શેર ની કિંમત રૂ. ૧૦ હતી આજે ૨૭૦૦ રૂપિયા છે.

ધીરુભાઈ એ દેશમાં ડંકો વગાડ્યો પરંતુ ધીરુભાઈ એ એક રિફાઇનરી નાંખી પણ મુકેશ ઍ ત્રણ રિફાઇનરી નાંખી બાપ કરતા દીકરો તો સવાયો હોય છે. આજે તો અનંત પણ આંખી રિફાઇનરી સંભાળે છે અને રાધિકા પણ તેને સાથ આપે છે. હું ખુશ છું કે તમે સૌ કોઈ આવ્યા અને તમે બધા જમીને જજો. ચોરવાડની આબરૂ વધે અને નામના થાય એવી માતાજી અને શ્રી નાથજી પ્રાથૅના કરું છું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!