રાધિકા અને અનંત અંબાણીની સગાઇ પર કોકિલા બેન થયા હતા ભાવુક!કહ્યું આજે મોટા પપ્પા ઉપરથી આશીર્વાદ આપતા હશે…જુઓ વિડિયો
હાલમાં ચારો તરફ અંબાણી પરિવારની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે પ્રી વેડિંગ સમયે સગાઈ દરમિયાન એક હદયસ્પર્શી ઘટના સામે આવી છે, પૌત્રનીસગાઈમાં ધીરુભાઈના પત્ની કોકિલાબેન ભાવુક થયા અને ધીરુભાઈને યાદ કરતા જે કહ્યું એ જાણીને તમે પણ ભાવુક થઈ જશો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
રાધિકા અને અનંતની સગાઈના અવસરે પરિવારજનો અને સગાસંબંધીઓ ઉપરાંત અનેક ખ્યાતનામ લોકો હાજર રહ્યાં હોવાથી આ સગાઈનો અવસર અંબાણી પરિવાર માટે ખુશીનો રહ્યો હતો. જે રીતે સગાઈ લગ્નમાં માતાપિતા અને વડીલોના આશીર્વાદ લેવામાં અવાતા હોય તેવા જ દ્રશ્યો અંબાણી પરિવારમાં પણ જોવા મળ્યા હતા.
આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને તેમની સગાઈના અવસર પર આશીર્વાદ આપતાં દાદી કોકિલાબેન ભાવુક બન્યા હતા. તેમને ભારે હૈયે જણાવ્યું હતું કે, આજે સવારે જ અનંત મને કહેતો હતો કે ” કૂકુ મોમા આજે મોટા પપ્પા હોત તો કેટલા ખુશ થયા હોય? જરૂર પણ અનંત મોટા પપ્પા તને ઉપરથી આશીર્વાદ આપતા હશે કે, ખુશ રહો અને મોજ કરો.
પ્રી – વેડિંગ સેલીબ્રેશન પહેલા જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ખરેખર આ વિડીયો જોઈને સૌ કોઈ ભાવુક થઈ ગયા હશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે રિલાયન્સ આજે ધીરુભાઈ અંબાણીના લીધે છે, જામનગરને પોતાની કર્મભૂમિ બનાવીને તેમણે વિશ્વ ફલકે નામ રોશન કર્યું પરંતુ વિધિના એવા લેખ કે હાર્ટ અટેકના કારણે તા, 6 જુલાઈ, 2002,ના રોજ ધીરુભાઈ અંબાણી પોતાના પત્ની કોકિલાબેન અંબાણી, બે દીકરાઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અને બે દીકરીઓ નીના કોઠારી તથા દીપ્તિ સલગાંવકરને વિલાપ કરતા મૂકી ગયા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.