લગ્નની જેમ વાજતે ગાજતે ઘર ના મોભીને વાદાઈ આપી ! આવી અંતીમ યાત્રા પહેલા નહી જોઈ હોય
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પોતાના સ્વજનોને ખોવાનું દુઃખ કેટલું હોઈ છે. માનવી ઘણો લાગણીશીલ છે જેના કારણે તે પોતાના જીવનમાં અનેક લોકો સાથે ભાવાત્મક સંબંધ બાંધે છે. અને જેના કારણે જયારે પણ પરિવાર કે સ્નેહી લોકો પોતાની દૂરથાઈ કે મૃત્યુ પામે ત્યારે અન્ય વ્યક્તિઓ માટે આ ક્ષણ સૌથી દુઃખદ સાબિત થાય છે. તેમાં પણ આપણે સૌ પોતાના સ્નેહી જનોને ખોવાના દુઃખ ને જાણીએ છીએ. જયારે પણ પરિવાર માંથી કોઈ પણ વ્યક્તિ નું અવસાન થાય છે ત્યારે પરિવાર પર જાણે દુઃખ નો આભ તૂટી પડ્યો હોઈ તેમ લાગે છે.
જો કે જન્મ અને મરણ સંસારનો નિયમ છે. જેનો જન્મ થયો છે તેનું અવસાન નિશ્ચિત છે. માટે ઘણા લોકોને આપણે કહેતા સાંભળતા હોઈએ છીએ કે અવસાન પછી મૃત્યુ પામેલા વ્યક્તિ ની પાછળ રડવા કરતા એવી પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માને શાંતિ આપે. આપણે સૌ જાણીએ છીએ કે આત્મા કયારે પણ મરતી નથી આત્મા અમર છે. પરંતુ શરીર નશ્વર છે. માટે આત્મા એક શરીર માંથી બીજા શરીર માં જાય છે. આવા સમયે ઘણા લોકો એવા પણ હોઈ છે કે જે પોતાના મૃત્યુ સમયે પરિવાર ના લોકો દુઃખી ના થાય તે માટે પોતાની કંઈક અલગ જ અંતિમ ઈચ્છા વ્યક્ત કરે છે.
હાલ આવો જ એક બનાવ રાજકોટ થી સામે આવ્યો છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જયારે પણ કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે પરિવાર માં શોક નો માહોલ છવાઈ જાય છે. તેવામાં રાજકોટ ના એક પરિવારે પોતાના પરિવાર ના એક સભ્યને ઘણી જ અનોખી વિદાઈ આપી છે. જે હાલ ચર્ચા નું કેન્દ્ર બની ગયું છે. પરિવાર તરફથી મૃતક પરિજનને લગ્નની ઢબે વાજતે ગાજતે વિદાઈ આપવામાં આવી છે. જો વાત આ બનાવ અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે.
જણાવી દઈએ કે આ અનોખી અંતિમ યાત્રા રાજકોટ માં નીકળી હતી જેમાં લગ્નની જેમ ઢોલી પણ હતા ઉપરાંત મૃતક પરિજનની અર્થીને પણ ઘણી શણગારવામાં આવી હતી. સાથો સાથ ઘોડાની પણ વ્યસ્થા કરવામાં આવી હતી આમ આ અંતિમ યાત્રા વરઘોડા ની જેમાં વાજતે ગાજતે નીકળી હતી. જો વાત મૃતક વ્યક્તિ અંગે કરીએ તો તેઓ સરધાર ગામના રહેવાસી હતા. તેમનું નામ કંકુબહેન શીવાભાઈ હતું કે જેઓ મૃત્યુ પામ્યા હતા.
તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમના અવશાન પછી પરિવાર ના લોકો શોક ને બદલે વાજતે ગાજતે તેમની અંતિમ યાત્રા કાઢે તેમની આ અંતિમ ઈચ્છા ને તેમના પરિવાર દ્વારા પુરી કરવામાં આવી અને તેમના જણાવ્યા પ્રમાણે શણગાર અને બેન્ડ બાજા સાથે લગ્નની ઢબે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી.
તેમની આ અંતિમ યાત્રા જોવા માટે આસપાસ ના અનેક લોકો એકઠા થયા. તેઓ પરિવાર માટે સાંત્વના પાઠવતા હતા સાથો સાથ પરિવાર દ્વારા જેવી રીતે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી તેના પણ વખાણ કરતા હતા. અને મૃતક ની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરતા હતા.