GujaratIndia

ધોરાજી ના યુવાને પી.એમ મોદી ને પત્ર લખ્યો! મોંઘવારીમાં ઘર ચલાવી શકાતું નથી , જુવો બીજુ શુ લખ્યુ

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને દુનિયામાં શું સ્થિતિ ચાલી રહી છે એક તરફ જ્યાં યુદ્ધના કારણે દુનિયાના હાલ બેહાલ થઇ રહ્યા છે તેવામાં બદલાતા જતા પર્યાવરણ ને કારણે અનેક નુકસાનનો સામનો પણ કરવો પડે છે. આ તમામ ને કારણે આખી દુનિયા સામે હવે નવો પ્રસન આવ્યો છે કેજે ભાવ વધારો અને મોંઘવારી નો છે. આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ સ્તર પર જે રીતે દરેક વસ્તુઓ અને ખાસ તો જીવન જરૂરી વસ્તુઓ ના ભાવો વધી રહ્યા છે તેના કારણે લોકો હેરાન થઇ ગયા છે.

આવી મોંઘવારી અને ભાવ વધારાની અસર દેશમાં પણ જોવા મળી રહી છે જેના કારણે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જીવવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે રસોઈ ના ગેશથી લઈને પેટ્રોલ, વીજળી થી લઈને શાળાઓ ની ફી વગેરેમાં થયેલા વધારા ના કારણે માધ્યમ વર્ગ માટે બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની ગયા છે એક તરફ મોંઘવારી વધી રહી છે તેવામાં બીજી તરફ આવકમાં થયેલા ઘટાડા ના કારણે પણ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

અને સરકાર માટે રાહત અંગે માંગણી કરી રહ્યા છે જેને લઈને એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં ભાવ વધારાથી પરેશાન યુવકે પ્રધાનમંત્રી મોદીજી ને સંબોધીને એક ચિઠ્ઠી લખી છે જેની વિગતો વાંચી ને સૌ કોઈ દંગ રહી ગયા છે. તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ. આ ઘટના ગુજરતના રાજકોટની છે, અહી ના ધોરાજી તાલુકામાં રહેતા એક યુવકે આ ચિઠ્ઠી લખી છે.

જણાવી દઈએ કે આ યુવક નું નામ સંકેત મકવાણા છે. કે જેમણે પ્રાંતીય અધિકારી કચેરીમાં પોતાની ચિઠ્ઠી થી પ્રધાનમંત્રી સમક્ષ આવેદન આપ્યું હતું જેમાં મોંઘવારીનો પ્રસન મુખ્ય હતો. વધી રહેલ મોંઘવારીના કારણે પરેશાન થઈને સંકેતે હવે ગેસ અને પેટ્રોલ પણ હપ્તાથી મળે તેવી માંગ કરી છે. તેમણે જણાવ્યું કે ચાર લોકોનો પરિવાર માં બાળકના ભણતર સાથે ઘરને ચલાવવું મુશ્કેલ છે. સતત વધતા ભાવો અને મોંઘવારી ના કારણે સામાન્ય લોકોની હાલત ઘણી ખરાબ થઇ છે.

સંકેત દ્વારા લખેલો પત્ર શબ્દશ:- હું ભારત દેશનો રહેવાસી છું અને ધોરાજીમાં રહું છું. આપ સાહેબની સરકાર આવ્યા પછી જે ગેસના બાટલાના 350 રૂપિયા હતા તેના રૂ.1050 થઈ ગયેલ છે. જે પેટ્રોલનો ભાવ 70 રૂપિયા હતો તેના 104 રૂપિયા થઈ ગયા છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું જેથી ઘર ચલાવવું મુશ્કેલ બને છે. મારા પરિવારમાં 4 વ્યક્તિ હોય છોકરાઓને ભણાવવાનો ખર્ચ અને આવી મોંઘવારીમાં ઘર ચલાવી શકાય તેમ ન હોય તો આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે પેટ્રોલ અને ગેસનો બાટલો મને હપતેથી આપવામાં આવે. – સંકેત મકવાણા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!