Gujarat

એક પિતા સંતાનો માટે શુ નો કરી શકે ! 21 વર્ષ પહેલા પુત્ર ને કીડન આપી હવે પુત્ર વધુ ને કન્યાદાન આપી ને…

જો કોઈ કહે કે આ જગતના સૌથી શ્રેષ્ઠ લેખનકાર કોણ તો બસ એક જ નામ આવશે કે વિધાતા! વિધાતા જેવા લોકોના ભાગ્ય લખે છે, એવા તો આ. જગતમાં કોઈ પોતાની કાલ્પનિક શક્તિ થી આવું જીવન ન આલેખી શકે.આજે આપણે એક એવા પરિવારના મોભી વિશે વાત કરીશું જેમણે પોતાના જીવનમાં પોતાના લોકો માટે ઘણું સમર્પણ કર્યું અને પોતાની જિંદગી પણ સમર્પિત કરી દીધી છે, ત્યારે આજે આપણે આ હ્દય સ્પર્શી ઘટના વિશે જાણીએ.

એક પિતા સંતાનો માટે શુ નો કરી શકે !મા જેટલું ત્યાગ અને સમર્પણ કરે છે એના થી વિશેષ પિતા તો પોતાનું જીવન સમર્પિત કરી દે છે અને પોતાની જાત ને તેમના ઘરના લોકો માટે આપી દે છે.ખરેખર આ ઘટના માં તમે જે કિસ્સો સાંભળશો એ ખૂબ જ હ્દય સ્પર્શી છે અને આ કારણે અનેક લોકોને પ્રેરણા ઘટના બને છે. ચાલો આ ઘટના વિશે વિસ્તુત જાણીએ.

જૂનાગઢ શહેરના ર73 વર્ષીય લલિતભાઇને જૂનાગઢના સંગીત રસીયા ન ઓળખતા હોય એવું ન બને. તેમના જીવનમાં એક દુઃખ આવેલું, તેમના યુવાન પુત્રનું 6 માસ પહેલાં કોરોનાને લીધે મૃત્યુ થયું. તમને જાણીને ખૂબ જ લાગણીશીલ થઈ જશો લલિતભાઈ ઓઝાનો પુત્ર ગૌરાંગ પણ ગાયક કલાકાર હતો. 21 વર્ષ પહેલાં તેની બંને કીડની ફેઇલ થઇ ગઇ હતી.

પિતા એ પુત્રનો જીવ બચાવવા પોતાની કીડની આપી નવજીવન આપ્યું અને આ બાદ સ્ટીરોઇડ્સ અને અનેક દવાઓના સહારે જીવવું પડતું. જોકે, 2012 માં ગૌરાંગના લગ્ન થયાં. પત્ની હિતાર્થી સાથેનું લગ્નજીવન પણ સુખી હતું. પણ વિધાતા નાં લખેલ લેખ પર કોણ મેખ મારી શકે છે?માનવ પોતાની માનવતા થકી અશક્ય ને શક્ય કરી ને કોઈના જીવનને સુખી કરી શકે છે જે લલિત ભાઈ કરી બતાવ્યું.

કોરોના લીધે 42 વર્ષની વયે ગૌરાંગને ભરખી ગઇ. લલિતભાઇ અને તેમના પત્નીએ આ દિવાળીમાં પુત્રવધૂને એક નવું જીવન આપવા માટે તેમને 17 ઓક્ટોબરે જ્ઞાતિનાજ વિશ્વેશ રાજેશભાઇ ઝાલા સાથે હિતાર્થીની સગાઇ કરાવી અને હવે તેઓ 21 વર્ષ પહેલાં દિકરાના જીવન માટે કિડનીનું દાન કર્યા બાદ હવે પુત્રવધૂનું કન્યાદાન કરશે. ખરેખર આ ઘટના ખૂબ જ હ્દય સ્પર્શી છે અને આવું ભાગ્યે જ કોઈ વ્યક્તિ કરી શકે છે. ધન્ય છે આવા વ્યક્તિને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!