ઇન્ઝમામના પ્રેમ મા પાગલ અનુરાધાએ પતિને આપ્યુ ધૃજાવી દે તેવું મોત ! પતિ ની પીઠ પાછળ રંગરૂલીયા મનાવી એવુ ષડયંત્ર રચ્યુ કે જાણીને…
હાલ ના સમય મા એક પછી એક આડા સંબંધો ની ઘટના ઓ સામે આવી રહી છે જેમા આડા સંબંધો નો કરુણ અંજામ આવ્યો હોય થોડા દિવસ પહેલા જ એક ઘટના સામે આવી હતી જેમા એક પાટીદાર યુવાન ને તેની પત્ની અને તેના પ્રેમી દ્વારા મોત ને ઘાટ ઉતારી દીધો હતો જ્યારે ફરી એક આવી જ ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.
ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો મૃતક રોહિત બામણિયા મૂળ દાહોદ જિલ્લાના વડવા ગામનો રહેવાસી હતો. વર્ષ 2010માં તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. રોહિતના પિતાના બાદ તેને સરકારના રહેમરાહ હેઠળ 2017માં રેલવેટ્રેક મેન એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. જ્યારે તેના લગ્ન અનુરાધા નામની યુવતી સાથે થયા હતા અને બધુ બરોબર ચાલતું હતુ તેવો અમદાવાદ ના ખોખરા વિસ્તારમાં રેલવે કોલોની ખાતે રહેતાં હતાં
જ્યારે અનુરાધા અને રોહીત ના લગ્ન ના 5 વર્ષ વિતી ગયા હતા છતા એવો ને સંતાન નહોતું જ્યારે અનુરાધાને ઘણા સમય પહેલા રાજકોટ મા રહેતા ઇન્ઝમામ સાથે સોસીયલ મીડીઆ પર સંપર્ક થયો હતો અને બન્ને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ મા પાગલ થયા હતા. જ્યારે અનુરાધા નુ ના કોઇ યુવક સાથે આડા સંબંધ હોવાની ભનક લાગતા પતિ પત્ની વચ્ચે તકરારો ચાલુ થઈ.
બીજી બાજુ ઇન્ઝમામ ના પ્રેમ મા પાગલ અનુરાધા એ પતિ નો કાઈમીક કાટો કાઢી નાખવાનો નિર્ણય કર્યો અને પતિ ને પડતી દરેક તકલીફો જાણવા લાગી અને ઇન્ઝમામ સામે મચી શડયંત્ર ની શરુવાત કરી જ્યારે ઇન્ઝમામ ની મુલાકાત રોહીત સાથે કરાવી અને બન્ને મિત્રો હોય તેવું જણાવ્યુ. બીજી બાજુ રોહીત ના ભોળપણ ના લીધે બન્ને ઉપર વિશ્વાસ ર્ક્યો.
જ્યારે પ્રેમ મા પાગલ અનુરાધા એ પોતાના ષડયંત્ર ના ભાગરુપે અનુરાધાએ ઇન્ઝમામને રાજકોટથી ઝેરી દવા લાવવાનું કહી દીધું. જેથી ઇન્ઝમામ રાજકોટથી ઝેરી દવા લઈને અમદાવાદ આવ્યો અને તે અગાઉથી રોહિતના પરિચયમાં હોવાથી રોહિતને અધશ્રદ્ધામાં ભોળવીને વિશ્વાસમાં લીધો. ત્યાર બાદ પ્લાનિંગ પ્રમાણે ઇન્ઝમામ 11 જાન્યુઆરીએ 11 વાગ્યાની આસપાસ રોહિતના ઘરે પહોંચ્યો.
આ સમયે રોહિતની પત્ની અને ઇન્ઝમામની પ્રેમિકા અનુરાધા સંબંધી દિલીપભાઈને ત્યાં ગઈ હતી. તે વખતે રોહિતને અંધશ્રદ્ધામાં ભોળવી પેટમાં દુઃખાવાની દવા છે એમ કહી રાજકોટથી લાવેલી જીવજંતુ મારવાની ઝેરી દવા પીવડાવી દીધી અને દવાની અસર થતા રોહિતના બન્ને હાથ સેલો ટેપથી બાંધી દીધા હતા અને તેનું ગળું પણ દબાવી દીધું હતું. જેથી તે તરફડિયાં મારીને બેભાન થઈ ગયો હતો. અને જ્યારે બાદ તેનું મોત પણ થયું હતુ.
જ્યારે આ સમગ્ર ષડયંત્ર ના ભાગ રુપે અનુરાધા એ રોહિત ના મોત ને આપઘાત મા ખપવવા માટે અનેક નાટકો કર્યો અનુરાધાએ રોહિતની બહેનને કહ્યું કે હું સવારે દિલીપભાઈના ઘરેથી આવી ત્યારે તમારા ભાઈ બેભાન અને ઊલટી કરેલી હાલતમાં પડ્યા હતા. જ્યારે સમગ્ર ઘટનાક્રમ મા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરતા ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા જેમા આ અંગે આઇ ડિવિઝન ACP કૃણાલ દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર બાબતે LG હોસ્પિટલમાંથી ખોખરા પોલીસને જાણ કરવામાં આવી હતી કે ખોખરા રેલવે કોલોનીમાં રહેતા એક યુવકે દવા પીધી હતી અને તેનું મોત થયું છે.
એના આધારે ખોખરા પોલીસ LG હોસ્પિટલ પહોંચી હતી. જોકે મૃતકના ગળાના ભાગે નિશાન દેખાયાં હતાં, જેના આધારે તેનું પોસ્ટમોર્ટમ કરવા માટે તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પોસ્ટમોર્ટમ દરમિયાન એક યુવક વારંવાર ત્યાં આંટા મારતો હતો અને શંકાસ્પદ ગતિવિધિ કરતો હતો, જેના આધારે પોલીસને તેના પર શંકા જ હતી, તેની પૂછપરછ હાથ ધરી હતી અને તેનું નામ ઇન્ઝમામ હોવાનો ખુલાસો થયો હતો તેમજ તેના મોબાઇલની તપાસ કરતાં એમાંથી મૃતક રોહિતની પત્ની અનુરાધાના ડોક્યુમેન્ટ તેમજ ચેટ મળ્યા હતાં. તેની વધુ પૂછપરછ કરતાં ઇન્ઝમામે કબૂલ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી તે અનુરાધાના પરિચયમાં હતો અને બંનેએ ભેગા મળીને રોહિતની હત્યા કરી હતી.