હોટેલ મા રોકાયેલ પરીણીત પ્રેમીઓ પાસે પોલીસ પહોચી જતા પ્રેમી એ મોત ની છલાંગ લગાવી અને જીવ ગયો
હાલની માનસિકતા કેવા પ્રકારની છે એ આપણી જાણ બહાર છે, હાલનો નવયુવાન નવયુવતી પોતાના જીવનમાં કયારે કેવા પગલા લઇ લે છે એ કઈ શકાતું નથી, હાલનો નવયુવાન યુવતી તેમના પરિવારજનો કે માતા-પિતા નો કોઈ વિચાર જ કરતા નથી, ત્યારે ફરી એક પ્રેમ પ્રકરણ ની ઘટના સામે આવી છે અને જેમા એક યુવાન નો જીવ ગયો છે
ગુજરાત ના સુરત શહેર માં રહેતા પરિણીત પ્રેમીઓ અને છેલ્લા દોઢેક વર્ષથી બંને પ્રેમસબંધ માં હતા અને આ યુવાન ને એક બે વર્ષની પુત્રી છે, અને આ યુવાન તેના પરિવારનો એક માત્ર દીકરો હતો. આ બંને પ્રેમી પંખીડા ને એવું તો શું થયું કે બંને મોતનો વિચાર આવ્યો.
શરદ બેચરભાઇ ભીસરા(ઉં.30) યુવાન કે જે પોતે સુરતમાં લીંબાયત ખાતે કાપડની લુમ્સ ની ફેક્ટરી નો માલિક હતો. રવિવારે બપોરે વડોદરા ની હોટલ મા રૂમ નં-102માં રોકાયો હતો. જયારે તારીખ ૧૯ ઓક્ટોબરે યુવતી ની ગુમ થવા ની ફરિયાદ યુવતી ના પતિ એ નોંધાવી હતી. જેથી સુરત ની સ્થાનિક પોલીસ તેની તલાશ માં વડોદરા માં આવેલી સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ પાસે આવેલી હોટેલ ના રૂમ નં-૧૦૨ માં પર પહોંચી હતી
પોલીસ રૂમ નં-૧૦૨ ની બહાર જી દરવાજો ખખડાવતા નવયુવાન નામે શરદભાઈ ગભરાઈ ગયા અને કંઈપણ વિચાર્યા વગર પોતાના રૂમ ની બારીમાંથી કુદકો મારી દીધો હતો. આ ઘટના જોઈ યુવતી પણ તેના પ્રેમીની પાછળ પોતનો જીવ દેવા રૂમની બારી પાસે જવાની તૈયારી કરતી હતી, પોલીસ કર્મચારીઓએ એ યુવતી ને ખુબજ વિનંતી કરી કે બહેન તમે આ જીવ ગુમાવવા નું પગલું ન લ્યો, પોલીસ ને મળતી માહિતી અનુસાર તે યુવતી ગર્ભવતી હતી, પોલીસ કર્મચારીઓએ એ પણ વિનંતી કરી કે તારા અંદર રહેલ બાળક નો શું વાંક છે, એનું તો વિચાર અને તેમને એમ પણ કીધું કે તારા પ્રેમીને પણ અમે લોકો બચાવી લેશું ૧૦૮ ઈમરજન્સી બોલાવી લીધી છે, બહેન વિશ્વાસ રાખ, આ બધી વાટાઘાટો ના સમય દરમિયાન એક પોલીસ કર્મચારી એ પરિણીતા ને સમજાવી તેનો જીવ બચાવ્યો હતો.
ઉપરોક્ત બનાવ ની જાણ થતા યુવતીના પિતા તેણે લેવા આવ્યા હતા અને યુવાન નું મૃતદેહ લેવા માટે તેના પરિવાર જાણો અને તેના મામા આવ્યા હતા. ઉપરોક્ત બનાવ થી એટલું સમજવામાં આવે છે કે આ દુનિયામાં લોકો કયારે કયું પગલું લઇ લે છે અને કયારે શું કરી બેસે છે એ કઈ નક્કી જ નથી હતું,