Gujarat

દીકરાની અંતિમ યાત્રામાં જ માતા ઢળી પડી અને મોતને ભેટી ! બંનેને આજુબાજુમાં અગ્નિદાહ…

માતા એ એક એવો શબ્દ છે કે જે દુનિયા નો સૌથી મહત્વ નો શબ્દ છે, માતા એ વ્હાલનો દરિયો છે, માતા અને તેની મમતા ની કોઈ વ્યાખ્યા જ નથી, અને તેની વિષે ગમે તેટલું કહીએ પણ ઓછુ છે, માં એ દરેક માટે ભગવાન નું સ્વરૂપ છે, અને માતા માટે તેની સંતાન તેના જીવ કરતા પણ વધારે વ્હાલી હોઈ છે, સંતાન ભલે ગમે તેવું હોઈ પરંતુ માતા ને તો એ સૌથી વિશેષ વ્હાલું હોઈ છે, અને તેવામાં પણ એ જ માતા ની સામે તેના પુત્ર નું મૃત્યુ થાય તો એ માતા જીવતે જીવ મારી જાય છે, તેવીજ એક આજે કરુણ ઘટના ની વાત કરવાની છે, કે એક માતા તેના દીકરાની અંતિમ યાત્રા માં બેહોશ થયા  અને મોતને ભેટી ગયા હતા.

ઘટનાની વાત કરીએ તો વાપી ના ટાંકીફળિયામાં ભીખી માતા મંદિરની બાજુમાં નામે સુભાષભાઈ છનીયાભાઈ હળપતિ (ઉ.વ.૫૦) કે જેઓ ડ્રાયવિંગ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા, અને હાલ તેઓ છેલ્લા કેટલા દિવસ થી બીમાર હતા, અને તે બીમારીના કારણે આખરે શુક્રવારે રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. તેનાથી તેના પરિવાર માં ખુબજ દુઃખદ માહોલ છવાય ગયો હતો, અને શનિવારે સવારે સુભાષ ની અંતિમ યાત્રા તેના ઘરેથી નીકળી હતી, તે અંતિમ વિધિ દરમિયાન એવી ઘટના બની કે સાંભળીને જ આપણી આંખોમાં આંસુ આવી જશે.

ઘટનાની વાત કરીએ તો સુભાષભાઈ ની અંતિમ યાત્રા નીકળી અને તે તેના ઘરથી ૫૦૦ મીટર દુર નીકળી ત્યારે અચાનક તેમની માતા કે  નામે શાંતિબેન (ઉ.વ.-૭૦) જે તેના પુત્ર ના મૃત્યુ થી ખુબજ દુખી હતી, તેમને અચાનક ચક્કર આવ્યા અને તે બેહોશ થઇ ગયા હતા, જેથી તેમને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ લઇ જવામાં આવ્યા અને ત્યાં હોસ્પીટલે તબીબ તપાસ દરમિયાન તેમને મૃત જાહેર કર્યા હતા. આવી ખુબજ કરુણ ઘટના બનતા ત્યાના લોકો માં શોક નો માહોલ વર્તાય ગયો હતો.

આવી દુઃખદ ઘટના કે માતા અને પુત્ર બંને એક પછી એક મોતને ભેટ્યા અને બંને ને ત્યાના નામધા ખાતે આવેલ સ્મશાન ગૃહમાં એક બીજાની આજુબાજુમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, અને વધુમાં એક કરુણતા ની વાત કરીએ તો આ મૃતક સુભાષ ના નાનાભાઈ નું પણ થોડા દિવસ પહેલા જ મૃત્યુ થયું હતું. તેથી આ મૃતક પરિવાર પર ખુબજ દુ:ખ નો ડુંગર પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!