Gujarat

દૂધ નહીં મળવાનો મેસેજ વાયરલ થતાં ડેરી પર લોકોની પડાપડી! માલધારી સમાજને કનીરામ બાપૂએ અપીલ કરી કે…

ગુજરાતભરના માલધારી સમાજના લોકોએ પોતાની માંગને પુરી કરવા દૂધ વિતરણ બંધ રાખી વિરોધ કરવાનું નક્કી કરાયું છે. આ કારણે અમદાવાદ જેવા અનેક શહેરમાં દૂધની ડેરીઓ બહાર લોકોએ ધામા નાખ્યા છે. બોડકદેવ નજીક અમુલ ડેરી પાસે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં માલધારી સમાજના મેસેજ વાયરલ થતા દૂધ માટે પડાપડી શરૂ થઇ છે.

આ હડતાલ પાછળનું કારણ એ છે કે, ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ સંપૂર્ણ નાબૂદ કરવો, ગીર બરડા આલેચના માલધારીઓના ૧૭૫૫૧ કુટુંબોને ST દરજ્જ પુનઃ સ્થાપિત કરવો,  માલધારી – ગોપાલક મંડળીઓને મતનો અધિકાર જે રદ કરેલ છે તે પુનઃસ્થાપિત કરવો, ગુજરાત સરકાર ૧૦૦ પશુએ ૪૦ એકર ગૌચર નિયત કરવું તેના પર દબાણો દૂર કરવા, નંદી વસાહત શહેરની બહાર પુનઃસ્થાપિત સહીતની માંગણી કરવામાં આવી છે.

સૌથી ખાસ વાત એ કે, ઉપરાંત સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા સહીતના અનેક સ્થળોએ આ સ્થિતિ જોવા મળી હતી. આ ઘટના બાદ દુધરેજ વડવાળા મંદિરના ગાદીપતિ, માલધારી સમાજના ગુરૂ ગાદીના પૂજય કની રામ બાપુએ માલધારીઓને અપીલ કરી હતી અને તેમણે જણાવ્યું કે કોઈપણ જગ્યાએ આંદોલન દરમિયાન દૂધના ટેન્કરો રોકવા નહી.

અમૂલ દૂધની વિતરણ વ્યવસ્થાને પણ અટકાવવી નહી. એટલું જ નહિ ડેરી તેમજ કોઈના દૂધ ટેંકરોને રોકીને પણ ધમાલ ન કરવા જણાવાયું છે તેમજ અંતમાં કહ્યું કે, આપણે તો આપણી ગાયો-ભેંસોનું દૂધ નથી વેચવાનું. ડેરી આથી દ્વારકાવાળાને માનતા હોય તો મહેરબાની કરીને ધમાલ ન કરતા એવી અપીલ કરેલ. હવે આ હડતાલ બાદ સરકાર શું પગલા લે છે, એ સમય આવશે ત્યારે જ ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!