Gujarat

પિતા ગુમાવનાર 300 દિકરીઓ ને પરણાવશે સુરત નો સવાણી પરીવાર ! 1 લાખ લોકો અંગદાન ના સોગંદ લેશે 1000 વિધાર્થીઓ ને…

સુરતના સવાણી પરીવાર ને કોણ નથી ઓળખતુ ખાસ કરી ને સવાણી પરીવાર ના મહેશભાઈ સવાણી હંમેશા સેવાકીય કાર્યો મા અગ્રેસર હોય છે ત્યારે દર વર્ષે સમૂહ લગ્ન નુ આયોજન કરી ને અનેક દીકરીઓ ના લગ્ન કરાવી આપે છે અને કન્યાદાન કરવા મા આવે છે ત્યારે આ વર્ષ પણ પી.પી સવાણી ગૃપ દ્વારા સમુહ લગ્ન નુ આયોજન કરવા મા આવ્યુ છે.

જો અંગે વિગતવાર વાત કરવા મા આવે તો પી.પી સવાણી ગૃપ દ્વારા આ વર્ષ 300 દીકરીઓ ના સમૂહ લગ્ન નુ આયોજન કરવા મા આવ્યુ છે આ લગ્ન સમારોહ 24 અને 25 ડિસેમ્બર એમ બે દિવસ યોજાશે. જ્યારે 300 દીકરીઓ માથી 4 દીકરીઓ મુસ્લિમ સમાજ અને 1 દીકરી ખ્રિસ્તી પણ છે જેને તેના રીતિ રીવાજ મુજબ લગ્ન કરવા મા આવશે.

અ લગ્ન મા સમારોહ મા વધુ મા વાત કરવા મા આવે તો આ વખતે લગ્ન ના આયોજન ને ખાસ બનાવવા અને કાઈક અનોખુ કરવા માટે સવાણી ગૃપ દ્વારા લગ્ન સમારોહ સિવાય 1 લાખથી વધુ લોકો એક સાથે અંગદાન માટે સોગંદ લઈને એક વિક્રમ સર્જશે. આ સાથે જ, 1000 વિદ્યાર્થી દત્તક યોજના અંતર્ગત જે બાળકે માતા પિતા ગુમાવ્યા છે, દિવ્યાંગ અથવા આર્થિક નબળા પરિવારના બાળકોને દત્તક લેવામાં આવશે. જેમાં, આ દીકરા-દીકરીઓને JEE/NEET/CA/UELTS અને SAT તેમજ વિવિધ પરીક્ષાની તૈયારી તેમજ ડોક્ટરી, સીએ સહિતના અભ્યાસ માટે તેમને આર્થિક તેમજ શૈક્ષણિક મદદ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે સવાણી પરીવાર દ્વારા દર વર્ષે સમુહ લગ્ન નુ આયોજન કરવામા આવે છે અને જેમા દરેક ધર્મ અને જાતિ ના લોકો જોડાઈ છે અત્યાર સુધી મા મહેશ સવાણી અને તેમનો પરિવાર દ્વારા 4,872 થી વધુ નિરાધાર દીકરીઓને લગ્નમાં મદદ કરી ચૂક્યા છે. આ વર્ષ ના આયોજન મા મહત્વની વાત એ છે કે, આ લગ્ન સમારોહમાં સવાણી પરિવારના દીકરા-દૂકરીના પણ લગ્ન કરવામાં આવશે. જણાવી દઈએ કે, મહેશ સવાણીના સગા ભાઈઓના દીકરા-દીકરી પણ આ સમારોહમાં જ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!