સુરત : માલધારી સમાજના ધરણામાં ગુરુ કનિરામ બાપુ અને બાબુભાઈ રાયકા એ હાજરી આપી જણાવ્યુ કે ” તમે જો
હાલ ના સમય મા માલધારી સમાજ દ્વારા કરવા ધરણા પ્રદર્શન અને રેલી યોજવામા આવી રહી છે કારણ કે માલધારી સમાજ નુ માનવું છે કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કાર્યવાહી યોગ્ય નથી માલધારી સમાજનું કહેવું છે કે રખડતા ઢોરોને પકડવા એ યોગ્ય છે પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારા તબેલા ઉખાડીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.તેને માટે જવાબદાર કોણ? આજે અમારી રોજગારી સામે પ્રશ્ન ઉભો થયો છે. અમારા પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરીશું એ પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે.
જ્યારે છેલ્લા બે દિવસથી ચાલી રહેલ આ ધરણા પ્રદર્શન મા આજે માલધારી સમાજના ગુરુ કનિરામ બાપુએ સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને માલધારી સમાજ ધર્મ ગુરુએ સંબોધતા નિવેદન આપ્યુ હતુ કે “સરકાર ખોટી રીતે હેરાનગતિ કરી રહી છે જે અન્યાય રૂપ છે. નોટિસ આપ્યા વગર આ રીતે તબેલા દૂર કરવા એ અમાનવીય કૃત્ય છે. સરકારે માલધારીઓની મુશ્કેલી સમજવી જોઈએ. જો તેમને મહાનગરપાલિકા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની વિચારણા ન હોય તો આ પ્રકારે તબેલાના પશુ અને લઈ જવાએ કાર્યવાહીને હું વખોડું છું.”
આ ઉપરાંત માલધારી સમાજના અગ્રણી અને પૂર્વ વિરોધ પક્ષના નેતા બાબુભાઈ રાયકા પણ ધરણા સ્થળ પર પહોંચ્યા હતા અને ચિમકી ઉચ્ચારી હતી કે “તમે જો કાંકરી ચાળો તો તેનો જવાબ અમને આપતા આવડે છે. જો તમે કાકરી મારશો તો એનો જવાબ અમે પથ્થરથી આપીશું. હાઇકોર્ટના હુકમનો બહાનો આગળ ધરીને માલધારીઓને ટાર્ગેટ આપ કરવામાં આવી રહ્યા છે. મેં અધિકારીઓને સ્પષ્ટ કહ્યું છે કે, આનું પરિણામ ખૂબ જ ગંભીર આવશે તમે ભોગવવા માટે તૈયાર રહેજો”
અત્રે ઉલ્લેખનિય છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પણ ગઈ કાલે ધરણા સ્થળ પર પહોંચ્યા હતા અને એવું નિવેદન આપ્યુ હતુ કે માલધારી સમાજની સંખ્યા ખૂબ જ ઓછી છે પરંતુ એનો અર્થ એવો નથી કે તેમના ઉપર દમન ગુજારવામાં આવે. રખડતા ઢોરોનો પ્રશ્ન એ આખા રાજ્યનો પ્રશ્ન છે તેવું બધા જ માને છે પરંતુ તેને ઉકેલવા માટે એફઆઇઆર નોંધવી કે પોલીસ દમન ગુજારવું એ જરૂરી નથી. મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવી રહ્યું છે તે ખરેખર નિંદનીય છે. સરકારે અને માલધારી સમાજ એ સાથે બેસીને ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવો જોઈએ.