રાજકોટમાં ગણપતિ વિસર્જન સમયે મામા-ભાણેજનું ડૂબવાથી કરુણ મૌત ! વિસર્જનનો આ વિડીયો આવ્યો સામે..જુઓ વિડીયો
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો આખા ગુજરાત જ નહીં પરંતુ આખા ભારત દેશમાં ગણેશ ઉત્સવની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, એવામાં દરેક લોકો હર્ષો ઉલ્લાસ સાથે ગણપતિ બાપ્પાના આ તહેવારની અંદર ભગવાનની ભક્તિ કરી રહ્યા છે, એવામાં રાજકોટ શહેરમાંથી એક ખુબ જ દુઃખદ બનાવ સામે આવ્યો છે જેમાં મામા-ભાણેજની વિસર્જન સમયે ડૂબી જવાથી બંને મૌતને પામ્યા છે.
આ ઘટના વિશે જો વાત કરવામાં આવે તો શહેરના આજી ડેમની અંદર આ ઘટના સામે આવી હતી જ્યા ગણેશજીના વિસર્જન કરવા માટે ગયેલ મામા-ભાણેજનું દરિયાની અંદર ડૂબવાથી મૃત્યુ થયું છે, વિસર્જન પહેલાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેઓ ડેમની અંદર ખુબ ઊંડે સુધી પોહચી જતા ડૂબવા લાગે છે.ઘટના અંગેની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી.
પણ અફસોસ કે ત્યાં સુધી તો મામા-ભાણેજનું મૃત્યુ નીપજી ચૂક્યું હતું,એવામાં બંને મૃતદેહને પાણીની બહાર કાઢતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું કારણ કે ઘડીક વારમાં મામા-ભાણેજની જોડી હતી નહોતી થઇ ગઈ. જાણવા મળ્યું છે કે શહેરના મણિનગર સોસાયટીની અંદર ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું, એવામાં વિસર્જન હોવાને લીધે મામા-ભાણેજની જોડી ગણપતિ બાપ્પાની મૂર્તિને પધરાવા માટે આજી ડેમ ખાતે ગયા હતા.
એવામાં આ વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં કુલ ત્રણ લોકો ગણપતિ મૂર્તિને લઈને પાણીમાં જઈ રહ્યા છે, એવામાં વિડીયો બનાવનાર વ્યક્તિ કહી રહ્યો છે કે ગણપતિ બાપ્પાની મૂર્તિને ત્રણ વખત ડુબાવીને તેનું વિસર્જન કરજો, એવામાં આ વિડીયો વાયરલ થતા જ જોયા બાદ દરેકના આંખોમાં આંસુ જ આવી ગયા હતા. ખરેખર મિત્રો તમે પણ ગણપતિ વિસર્જન કરવા માટે જાવ તો સાવચેરી જરૂરથી રાખજો.
View this post on Instagram
નોંધ : વાયરલ આ વિડીયોની પુષ્ટિ અમારી વેબસાઈટ “ગુજરાત અખબાર” કરતું નથી, જો તમે ગુજરાતની રોજબરોજની ઘટનાઓ તથા માહિતીઓથી માહિતગાર રહેવા માંગતા હોવ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાય શકો છો.આભાર.