સુરતની યુવતી ને ઇન્સ્ટાગ્રામ પર ભાવનગર ના યુવાન સાથે પ્રેમ થયો અને પછી લગ્ન કર્યા બાદ ખબર પડી કે યુવક..
હાલ ના ષમય મા સોસીયલ મીડિયા એક મોકળુ મેદાન છે દરેક એવા લોકો માટે જે કાઈક ખોટુ કામ કરવા માંગે છે ત્યારે ઘણા યુવાનો ને સોસીયલ મિડીઆ પર પ્રેમ પણ થઈ જતો હોય છે ત્યારે હાલ જ એક એવો બનાવ હામે આવ્યો છે જે દરેક લોકો એ સમજવા જેવો છે. સુરત ના નાના વરછાની યુવતી ને ભાવનગર ના મહુવા ના એક યુવાન સાથે પ્રેમ થયો હતો અને પરીવાર વિરુદ્ધ જઈ ને મંદિર મા લગ્ન પણ કર્યા હતા જ્યારે હવે યુવતી એ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને યુવકે પણ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સુરતના વરાછા વિસ્તારમાં માતા વાડી ખાતે આવેલી વર્ષા સોસાયટીમાં રહેતી જાગૃતિ વધે વલ્લભભાઈ ખાંભલીયા મૂળ ભાવનગરના તળાજાના વતની છે. અને લાંબા સમયથી સુરતમાં રહે છે. જ્યારે instagram પર તેમનો પરિચય વિશાલ નાગજીભાઈ સોલંકી જે મું લોગડી મહુવા તાલુકાના ભાવનગર ખાતેનો રહેવાસી સાથે થયો હતો. વિશાલ પોતે સુખ સંપન્ન પરીવાર ની હોય તેવી વાતો કરતો હતો અને બાદ મા બન્ને એ કામરેજ ના કાળ ભૈરવ દાદા ના મંદીર મંદિર મા લગ્ન કર્યો હતા.
લગ્ન બાદ સચીન જીઆઇડીસી ખાતે કોઈ ખાતામાં બે દિવસ રોકાયા હતા અને બાદ મા જાગૃતિ ને એવુ જાણવા મળ્યુ હતુ કે વિશાલે તને ખોટા સપના દેખાડયા હતા ત્યારે બાદ જાગૃતિ એ તેના પિતા ને આ વાત જણાવી પોતે પિરય મા રહેવા આવી ગય હતી અને વિશાલ સાથે અલગ થઈ જવા માટે છુટાછેડા ની માંગણી કરી હતી. પરંતુ વાશાલે છુટાછેડા આપવાની ના કહી હતી. બાદ મા જાગૃતિ એ સોસીયલ મિડીઆ પર એક વિડીઓ વાયરલ કર્યો હતો
યુવતિ એ જણાવ્યુ હતુ કે તેના સાથે દગો થયો છે અને હવે એસીડ અટેક ની ધમકી મળી રહી છે જ્યારે આ બાબતે વિશાલે પણ ભાવનગરના મહુવા પોલીસ સ્ટેશનમાં પત્ની જાગૃતિ ખોટી રીતે બદનામ કરતી હોવાની ફરિયાદ આપી છે. જોકે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
