Entertainment

મણીરાજ અને બિરજુ બારોટે નામ બદલીને મેળવી લોકપ્રિયતા, આ વ્યક્તિ જણાવ્યા બંનેનાં સાચા નામ જે કોઈ નોહતું જાણતું….

કહેવાય છે ને કે, નામમાં શું રાખ્યું છે? આપને જણાવીએ કે નામ તો અમર છે. આપણું જીવન પૂર્ણ થઈ જાય પણ આપણા નામનો અંત ક્યારેય નથી આવતો. જીવનમાં નામનો અનેરૂ મહત્વ છે કારણ કે વ્યક્તિ પોતાના નામથી જ ઓળખાય છે. આજે નેતાઓ થી લઈને કલાકારો પોતાના નામ થી ઓળખાઇ છે. વ્યક્તિનું નામ આવે એટલે એનો ચહેરો યાદ આવી જાય અને જ્યારે ચહેરો યાદ આવે ત્યારે તેનું વ્યક્તિત્વ પારખી જઈએ છીએ. એવા ઘણા કલાકારો હોય છે જેમને પોતાના જીવનમાં પોતાના સાચા નામથી નહીં પણ બીજા નામથી જ લોકપ્રિયતા મેળવી હોય.

આ પ્રચલિત નામ દ્વારા જ તેમની ઓળખાણ પણ થતી હોય છે. ત્યારે આજે અમે આપને એવા બે કલાકારો વિશે જણાવીશું જેમને પોતાના સાચા નામથી નહિ પણ બીજા નામથી જ લોકપ્રિયતા મેળવી અને જગત આખું તેમને એ જ નામથી ઓળખે છે. ગુજરાતી સીનેમાનું અમૂલ્ય ઘરેણું સમાન મણીરાજ બારોટ નું સાચું નામ કોઈ નહિ જાણતું હોય એવી જ રીતે બિરજુ બારોટ નું સાચું નામ કોઈ નથી જાણતું. આજે અમે તેમના સાચા નામથી તમને જાણકાર કરીશું.

વર્ષ 1991માં પાટણ ખાતે બારોટ સમાજ દ્વારા પંચપાઠનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના અનેક યુવાનો સ્ટેજ પર ગાતા હતા. આ દરમિયાન પ્રશાંત જાદવના કાને એક અવાજ પડે છે, જે આગળ જતાં ગુજરાતનો અવાજ બને છે. આ અવાજ હતો મણિરાજ બોરોટનો.આ ગાયકનું નામ મણિરાજ નહીં, પણ બીજું કંઈક હતું. દરેક વ્યક્તિની સફળતા પાછળ કોઈનો હાથ હોય છે. પ્રશાંત જાદવ આ યુવા ગાયકને અમદાવાદ લઈ આવે છે અને બાદમાં મણિરાજ બારોટની ગાયક બનવાની સફર શરૂ થાય છે.

મણિરાજે શરૂઆતમાં કેવો સંઘર્ષ કરવો પડ્યો હતો. એ જમાનામાં જે કલાકારોના કાર્ડમાં નામ હોય તેમને જ ગાવા મળતું હતું, આથી પ્રશાંતભાઈ પોતાની ઓળખાણનો ઉપયોગ કરી નામાંકિત કલાકારને વિનંતી કરતા કે મણિરાજને એક-બે ગીત ગાવા દો.નવા કલાકાર હોવાથી માલિકો રિસ્ક લેવા માંગતા ન હતા. આથી પ્રશાંત જાદવે બે કેસેટ માટે થયેલા 13 હજાર રૂપિયાની જવાબદારી લીધી. આ કેસેટોનાં નામ હતા ‘મણિયારો આયો લ્યા’ અને ‘શેલ દરવાજે ઢોલચી વાગી’. પઆ કેસેટોના રેકોર્ડિંગ દરમિયાન જ પોતે મણિરાજ નામ આપ્યું.મણિરાજ બારોટનું સાચું નામ મણિલાલ બારોટ છે.

જોગાનુજોગ બિરજુ બારોટને પણ નવું નામ પ્રશાંતભાઈ આપ્યું.આજથી આશરે 16 વર્ષ પહેલાં બિરજુ બારોટને લઈને તેમના પિતા અને દાદા અમદાવાદસ્થિત પ્રશાંત જાદવના ઘરે આવે છે. એ પહેલી મુલાકાત વખતે જ બિરજુ બારોટ એવું નવું નામ મળે છે. બિરજુ નહીં, તેનું સાચું નામ બિપિન બારોટ છે. આને કહેવાય સંજોગ. આજના સમયમાં ઘણા લોકો એવા હોય છે જેઓ પોતાના સાચા નામને બદલે પોતાના ઉપનામથી વધુ ઓળખાતા હોય છે. એ વાત ખાસ કે જ્યારે પ્રશાંત ભાઈ 13 હજારનું જોખમ લીધું ત્યારે તેમનો પગાર માત્ર 2000રૂ. હતો. તેમને મણીરાજ બારોટ પર વિશ્વાસ હતો અને એનું પરિણામ આપણે સૌ કોઈ જાણીએ છે. આજે તો બસ સુની ડેલી ને સુના ડાયરા છે મણીરાજ વિના!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!