Gujarat

વલસાડ : લગ્ન પ્રસંગ ના શુભ અવસરમા જ એવી ઘટના ઘટી કે ખળભળાટ મચી ગયો..

હાલ લગ્ન ની સીઝન ખુબજ જોર શોર માં ચાલી રહી છે, લોકો કોરોના બાદ ધામધુમથી લગ્નો કરી રહ્યા છે, લગ્ન ની તમામ તૈયાર ખુબજ હર્ષોલ્લાસ થી કરી રહ્યા છે, લગ્ન ની તમામ યાદો યાદગાર બનાવવા માટે કંઇક ને કંઇક નવું કરી રહ્યા છે, પરંતુ આજે એક આવી નવાઈ ની ઘટના ની વાત કરીએ તો કે લગ્ન પ્રસંગે લગ્ન ના ઘરેથી જ સોનાના દાગીના ની ચોરી થયેલી છે, તેવો બનાવ બન્યો છે.

ઘટનાની વાત કરીએ તો વલસાડ ના પારનેરા પારડી ગામમાં એક પરિવાર ના ઘરે લગ્નપ્રસંગ ચાલી રહ્યો હતો, અને મામેરા ની વિધિ ચાલી રહી હતી, અને તે વિધિ માં તમામ ઘરના સભ્યો અને આવેલ મહેમાનો વ્યસ્થ હતા, તે દરમિયાન તેમના બંગલામાં જઈ ૪૦ તોલા સોનું અને લાખો રૂપિયાની ચોરી થયેલ હતી, પરિવાર આ મામેરા ની વિધિ પતાવી ઘરે પરત ફરતા રૂમમાં તમામ સામાન વેર-વિખેર થયેલો હતો, આ બનાવ બનતા લગ્ન પ્રસંગ માં દોડધામ મચી ગઈ હતી, અને બનાવ ની જાણ થતા ઘરના સભ્યો એ પોલીસ ને જાણ કરી હતી, અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટના વલસાડ ના પારનેરા પારડી રાધાકૃષ્ણ મંદિર પરિસર માં રાખેલ એક લગ્નપ્રસંગ માં મામેરા ની વિધિ શરુ હતી, તે દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિ આ યજમાન ના ઘરે ઘુસી તેના રૂમના કબાટ ની ચાવી થી કબાટ ખોલી ૪૦ તોલા સોનું અને રોકડ રૂપિયા ૧૫ હજાર ની ચોરી કરી હતી, મળતી માહિતી અનુસાર તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે , આ રૂમની ચાવી ક્યાં હતી, અને સોનાના ઘરેણા ક્યાં પડ્યા હતા, તે કોઈ અજાણ્યા વ્યક્તિ ને ખબર ન હતી, તેથી આ ચોરી પાછળ કોઈ જાણબેધુ છે, તેવી શંકા પરિવાર ના સભ્યો ને થાય છે.

બનાવ ની જાણ થતા વલસાડ પોલીસ પારનેરા પારડીમાં રહેતા યજમાન કે જેના ઘરે આ લગ્નપ્રસંગ હતો નામે નીતિનભાઈ રણછોડભાઈ પટેલ ના ઘરે લગ્ન ના માંડવામાં પહોંચી ગઈ હતી, અને ત્યાં ઉપસ્થિત તમામ પરિવારના સભ્યો અને મહેમાનો ને આ ચોરીના બનાવ અંગે પુછપરછ કરવા લાગી હતી. જોકે હજુ પુછપરછ બાદ ચોરી કોણે કરી છે તે જાણવા મળ્યું નથી, લગ્નપ્રસંગ ની વિધિ દરમિયાન ઘરમાંથી હાથફેરો કરનાર ચોર ને પકડવા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!