લગ્ન મંડપમા જ દુલહન નુ મોત થયુ ! દિકરી ના માતા પિતા એ પણ એવો નિર્ણય લીધો કે જાણીને ભાવુક થય જશો…
હાલમાં જ એક ખૂબ જ દુઃખ ઘટના બની!જે લગ્નના માંડવે થી દીકરીની ડોલી ઉઠવાની એ જ લગ્નના માંડવે થી દીકરીની અર્થી ઉઠી હતી. આ માતા પિતાએ એક ખૂબ જ સરહાનીય વાત કરી હતી, આ વાત જાણીને તમે પણ ચોંકી જશો કારણ કે આવી હદયસ્પર્શી ઘટના બની હતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, કર્ણાટકમાં એક 26 વર્ષની દુલ્હનનું તેના લગ્ન દરમિયાન સ્ટેજ પર જ અચાનક મૃત્યુ થઈ ગયું. આ ઘટનાએ લગ્ન સમારોહમાં આવેલા દરેકને હચમચાવી દીધા હતા અને લગ્નના ગીતોને બદલે મોતના મરશિયા ગાવતા હતા.
આ ઘટના બાદ દુલ્હનના માતા-પિતાએ તેમની પુત્રીના અંગોનું દાન કરીને એક ઉત્તમ ઉદાહરણ બન્યા. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કેકે સુધાકરે ની દીકરીના આકસ્મિક અવસાન પર શોક વ્યક્ત કર્યો અને માતા-પિતાના નિર્ણયને આવકાર્યો.આ ઘટના કર્ણાટકના કોલાર શહેરની છે. અહીં 26 વર્ષની ચૈત્રાના લગ્ન હતા અને રિસેપ્શન દરમિયાન ચૈત્રા દુલ્હન બનીને સ્ટેજ પર પહોંચી અને વર સાથે બેઠી, ત્યારે તે અચાનક બેહોશ થઈને સ્ટેજ પર પડી ગઈ. ત્યારબાદ તરત જ ચૈત્રાના સંબંધીઓ તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.
જ્યાં ડોક્ટરોએ તેને બેંગ્લોરની નિમ્હાન્સ હોસ્પિટલમાં રિફર કરી. પરિવારજનો તેને ત્યાં લઈ ગયા ત્યારે ડોક્ટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. ચૈત્રાના માતા-પિતા માટે તે ખૂબ જ મુશ્કેલ સમય હતો, પરંતુ તેઓએ સમાજ માટે ઉદાહરણ બનવાનું નક્કી કર્યું. ચૈત્રાના માતા-પિતાએ તેમની બ્રેઈન ડેડ દીકરીના અંગોનું દાન કર્યું હતું. આ પછી કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કે. સુધાકરે તેના નિર્ણયની પ્રશંસા કરી.
સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કર્યું, ’26 વર્ષીય ચૈત્ર માટે આ એક મોટો દિવસ હતો પરંતુ નિયતિની અલગ જ વિચાર્યું હતું. કોલાર જિલ્લાના શ્રીનિવાસપુરમાં તેમના લગ્નના રિસેપ્શન દરમિયાન તે ભાંગી પડી હતી. બાદમાં નિમ્હાન્સમાં તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. હૃદયદ્રાવક દુર્ઘટના હોવા છતાં, તેના માતાપિતાએ તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે.