મેલડી માના દર્શન કરવા જતાં પરિવારને કાળ ભરખી ગયો! 4 લોકોએ જીવ ગુમાવ્યો.
આપણે સૌ કોઈ જાણીએ છે કે , રોડ અકસ્તમાતના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે,જેનાં વિશે જાણીને તમને પણ આશ્ચય થશે કે, આખરે આવી ઘટના કંઈ રીતે બની શકે છે.અનેક શ્રદ્ધાળુઓ દેવ દર્શન જતા હોય છે, પરતું ક્યારેક વિધાતાએ લખેલ લેખ માં કોઈ મેખ નથી મારી શકતું.આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક વાર દેવ સ્થાને દર્શન કરવા જતાં યાત્રાળુઓને રોડ અકસ્તમાત નડતા હોય છે. ત્યારે હાલમાં જ આવી એક દુઃખ ઘટના બની છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ખેડા જિલ્લામાંમહુધા પંથકમાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિને પોતાનો જીવ ગુમાવ્યો હતો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અજાણ્યા ટ્રેલરે ઈકો કારને ટક્કર મારતાં ઈકો કાર રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એકનું સ્થળ પર બે વ્યક્તિનાં નડિયાદ સિવિલમાં અને એક વ્યક્તિનું અમદાવાદ સિવિલમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.
સંતરામપુરના વતની એક જ પરિવારના સગાંસંબંધીઓ હોવાનું પોલીસે જણાવ્યું છે. તમામ લોકો ઈકો કાર લઈને આણંદના મલાતજ ગામે મેલડી માતાજીનાં દર્શને જતાં અકસ્માત નડ્યો છે. મહુધા પોલીસે ઈજાગ્રસ્ત કારચાલકની ફરિયાદને આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. માતાજીના દર્શન કરવા પોહચે એ પહેલાં જ પરિવારજનો મોતને વાહલું કર્યું હતું. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે.નડિયાદ તરફ આવી રહી હતી. ત્યારે સામેથી પૂરપાટે આવતા અજાણ્યા ટ્રેલરે ઉપરોક્ત કારને ટક્કર મારી હતી.
આથી કાર ફંગોળાઈને રોડની સાઈડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ બાદ ટ્રેલરચાલક ફરાર થઈ ગયો હતો
ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. એ બાદ કારમાં સવાર 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 5 વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફત તરત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, આ અકસ્માતમાં 4 વ્યક્તિને કાળ ભરખી ગયો છે. મૃતક ની આત્માને શાંતિ મળે તેમજ પરિવાર જનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે એજ પ્રાર્થના.