સાંસદ મોહનભાઇ કુંડારિયાના કમાન્ડો એ પોતાની સર્વિસ રીવોલ્વર થી પોતાના જ માથે ગોળી ધરબી આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ…
હાલમાં જ એક ચોંકાવનાર ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મોરબીમાં માળીયાના મોટા દહીસરા ગામનાં એસઆરપી જવાન અને હાલમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા 46 વર્ષીય અશ્વિન રાયધનભાઈ બાલાસરા નામના એસઆરપી જવાને લમણે ગોળી મારી આપઘાત કર્યો છે.
આ દુઃખદ ઘટનામાં પોલીસની તપાસમાં એસઆરપી જવાને બિમારીથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે.
આ ઘટના અંગે વિગતવાર વાત જાણીએ તો માળીયા મોટા દહીંસરા ગામે રહેતા અને એસઆરપી ગ્રુપ-13ની કેડરના તેમજ હાલ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા અને તેમનેબમાળીયાના મોટા દહીંસરા ગામે આવેલા ઘરે પોતાની સર્વિસ રિવોલ્વરને લમણે તાકી ટ્રિગર દબાવી મગજમાં ગોળી ધરબી દીધી હતી.
પુત્રની લોહીથી લથબથ લાશ જોઈને માતા-પિતા સહિત પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને લાશ તેમજ સર્વિસ રિવોલ્વર સહિત ઘટનાસ્થળનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરી લાશને પોસ્ટમોર્ટમમાં ખસેડી પરિવારજનોની પૂછપરછ કરી હતી.
પરિવારજનોની પૂછપરછ કરતા માલુમ પડ્યું છે કે, મૃતક એસઆરપી જવાનને ફેફસાની બીમારી હતી અને આ બીમારીથી કંટાળીને સર્વિસ રિવોલ્વરથી જાતે જ ગોળી ધરબીને આપઘાત કરી લીધો હતો. મૃતકને સંતાનમાં બે દીકરા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં પરિવારમાં દુઃખદ વાતાવરણ છવાઈ ગયું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.