એક માતાએ એવુ પગલુ ભર્યુ કે પોતાના મે બાળકો ની હત્યા કરી અને પછી પોતે…
“આપણા જીવનનું અમુલ્ય રતન હોઈ તો એ માં છે, માં કે જે મમતા નો સાગર છે, માં શબ્દ ની અંદર મમતા પ્યાર ભરેલો છે, માં કે જે પોતાના સંતાન ને પોતાના જીવથી પણ વધારે ચાહથી હોઈ છે, અને પોતાના સંતાન ની ખુશી માટે તે ગમે તે કરતી હોઈ છે, પોતાના સંતાન પર સેજ પણ દુખ આવે તો માં સહન કરી શકતી નથી, અને ઘણીવાર તો પોતાના સંતાન ની ખુશી અને ઇચ્છાઓ માટે પોતાનો જીવ પણ દાવ પર લગાડી દે છે, માં ની આ દુનિયામાં માં એ એક અમુલ્ય છે, પરંતુ તમે એવું સાંભળ્યું છે કે, એક માં એ પોતાના બે બાળકોને ફાંસી પર લટકાવી દીધા, આ વાત સાંભળતા ની સાથે આપણા રુવાડા ઉભા થાય છે.
તેવીજ એક દર્દનાક ઘટના ની વાત કરીએ તો રાજસ્થાન ની રાજધાની જયપુર જીલ્લાના ગોવિંદગઢ વિસ્તાર ના સિંગોદ ખુદ્ર ગામની વાત છે, કે જ્યાં એક માતા ને એવું તો શું થયું કે તેણે પોતાના કલેજા ના કટકા સમાન તેના બંને સંતાનો ને ફાંસી પર ચડાવી મારી નાખ્યા અને ત્યારપછી પોતે આત્મહત્યા કરી લીધી. ઘટનાની મળતી માહિતી અનુસાર વાત કરીએ તો આ પથ્થર ડીલ મહિલા નામે મનીષા કે જેમને બે સંતાનો હતા ૧. વિનમ્રતા પુત્રી (ઉ.વ.-૧૦) અને ૨. કવ્યાંશ પુત્ર (ઉ.વ.-૧.૫ વર્ષ) કે જે આ મહિલા આ બંને માસુમ બાળકોને પહેલા ફાંસી પર ચડાવી મારી નાખ્યા ત્યારબાદ પોતે આત્મહત્યા કરી લીધી.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર આ મહિલા કે જેમના પતિ નામે રવીન્દ્ર આર.એ.સી બટાલિયન માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા, કે જેઓ આ ઘટના પહેલા એક દિવસ અગાઉ પોતાની ડ્યુટી ની રજાઓ માં જયપુર આવ્યા હતા, મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આગળની તપાસ હાથ ધરી હતી, ત્યારે તેમને મળતી માહિતી અનુસાર આ ઘટના પાછળ પારિવારિક એટલે કે પતિ-પત્ની ના ઝઘડા નું કારણ હોવાનું જાણવા મળેલ હતું.
ગોવિંદગઢ પોલીસ ની ટીમ વધુ આ ઘટના ની જજ્બદ્તાલ કરતા તેમને જાણવા મળેલ કે આ મૃતક મહિલા ના પતિ સોમવાર પોતાની રજાઓ માં ઘરે આવેલ, તે રાત્રે આ મહિલા અને તેના પતિ વચ્ચે ઝઘડો થતા, પત્ની ઝઘડા બાદ તેના રૂમમાં સુવા જતી રહે છે, અને અંદર થી દરવાજો બંધ કરી દે છે, અને રૂમમાં લાગેલ પંખા સાથે સૌથી પહેલા પોતાની ૧૦ વર્ષની બાળકી ને અને ત્યારબાદ દોઢ વર્ષના પોતાના પુત્ર ને લટકાવી દે છે, પછી પોતે આત્મહત્યા કરી લે છે, આ ઘટના ની વધુ જાણ માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.