લઠ્ઠાકાંડના મૃતકોનાં પરિવારની વ્હારે આવ્યા મોરારીબાપુ! પરિવાર દીઠ આપશે આટલા રૂપિયાનું દાન…
ગુજરાતના પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ દેશ વિદેશમાં પોતાની રામકથા ને માટે જાણીતા છે તેમજ ગુજરાતમાં પણ તેઓ અતિ પૂજનીય ગણાય છે, અવારનવાર તેઓ દાનની ગંગા વહેતી કરતા હોય છે. કોરોનકાળથી લઈને અનેક એવી ગંભીર પરિસ્થિતિ અને વિકટ આફતો સમય દરમિયાન મોરારી બાપુ અવશ્ય પણે દાન કરતા હોય છે, ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પરમ પુજય શ્રી મોરારી બાપુ લઠ્ઠાકાંડનાં મૃતકોના પરિવારને સહાય કરશે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મોરારીબાપુ પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂ.5 હજારની તત્કાલ સહાયની જાહેરાત કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે તાજેતરના લઠ્ઠાકાંડ બાદ અસહાય બનેલ લોકોનાં પરિજનો તરફ સંવેદના વ્યક્ત કરી પૂ. મોરારિબાપુ દ્વારા રાહતરાશિ અર્પણ કરવામાં આવેલ છે. ખરેખર આ પગલું ખૂબ જ સરહાનીય છે. આવી જ રીતે અનેક લોકોને મોરારી બાપુ મદદ કરતા રહે છે.
આ દાન કરવાનો હેતુ એ છે કે, પરિવારની કોઈ વ્યક્તિની ભૂલને લીધે તેમના પરિવારજનો શો વાંક ? આ જ કારણે બાપુશ્રી એ સંવેદના વ્યક્ત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂ.5 હજારની તત્કાલ સહાયતા પહોંચાડી દેવા જણાવ્યું છે. રૂ.2 લાખ 50 હજારથી વધુ રકમની સહાય શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂ જઈ પહોચતી કરવામાં આવશે. પુ.મોરારિબાપુએ આ કરૂણ ઘટનાને કારણે જે પરિવારો નિ:સહાય બન્યા છે તેમનાં પરત્વે સંવેદના વ્યક્ત કરી છે.
લઠ્ઠાકાંડની ઘટના દરેક લોકો માટે ચોંકાવનારી છે. એક જ પળમાં ગામમાં દરેક ઘરોમાં મોતના મરશિયા ગુંજી ઉઠ્યા અને ગામ પણ જાણે સ્મશાન બની ગયું હોય, એવા દ્રશ્યો સર્જાય હતા. આ ઘટનાને પગલે દરેક લોકોએ પોતાનું દુઃખ વ્યક્ત દર્શાવી છે, ત્યારે પહેલીવાર મોરારી બાપુએ આર્થિક રીતેપણ પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવી છે અને 5 હજારની સહાય કરી છે.