એક મા નો પ્રેમ કેવો હોય ! આ ઘટના જાણી અમારા રુવાટા ઉભા થય જશે..
આ જગતમાં મા થી મોટું કોઈ નથી!વિચાર કરો જેના કુખે થી સ્વયં ભગવાન પણ અવતાર ધરવા આતુર રહેતા હોય એ માનો મહિના કેટલો ન્યારો હશે. આજે અમે આપને એક એવી ઘટના વિશે જણાવીશું જેને સાંભળીને તમારી આંખોમાં આંસુઓ આવી જશે. એક મા એ પોતાનો લાડકો જુવાન દીકરો ગુમાવી દેતા ભાન ભૂલી બેસી.આ ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની છે. આ દ્રશ્ય જોઈને કોઈનું પણ પાષણ હ્રદય પળભરમાં પીગળી જાય એવી તસવીરો સામે આવી છે. હાલમાં એક સોશિયલ મીડિયામાં તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે, કંઈ રીતે એક માતા તેના દીકરાના જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે સ્મશાનમાં રોજ આવી તેની રાખ પાસે બથ ભરીને સુઈ જાય .
આ કરૂણ ઘટના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જુનીરોહ ગામની છે. આ ગામમાં જ રહેતા મંગુબેન ચૌહાણનાં પતિ શંકરભાઈનો 10 વર્ષ અકસ્માતમાં અવસાન થયું ગયું. તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. બે દીકરાઓ પૈકી એક દીકરાના લગ્ન થઈ ગયા છે જે માતાથી અલગ રહે છે. જ્યારે સૌથી નાનો દીકરો મહેશ માતાની સાથે રહેતો હતો. નાનો દીકરો જ માનો જીવનભરનો આધાર હતો અને બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હતા.
વિધાતાના લેખ કંઈક અલગ જ હતા. જાણવા મળ્યું કે, ચાર મહિના પહેલા જુનીરોહ ગામ નજીક રેલવે ટ્રેક પર દીકરા મહેશનો મૃતદેહ મળી આવ્યો હતો. દીકરાની આવી અણધારી વિદાઈથી માતાનું મન અને હદય માનવા તૈયાર નથી કે તેનો દીકરો આ દુનિયમાં નથી.પરિવારજનોએ મંગુબેનને માંડ સંભાળ્યા હતા. મહેશના અંતિમ સંસ્કાર બાદ પણ મંગુબેન દીકરાને ભૂલ્યા નથી.સ્મશાનમાં જઈ તેની ચિતાની રાખ પાસે જઈને સુઈ જાય છે. દરેક લોકોએ બહુ જ સમજાવ્યા પરતું એ મા છે અને માનું હદય ખૂબ જ સંવેદનશીલ હોય છે.