GujaratIndia

પોલીસ ભરતીની દોડની પરીક્ષામા નાપાસ થતા યુવકે એવુ પગલુ ભર્યુ કે પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો

હાલના નવયુવાન સરકારી પરીક્ષાઓ ની તૈયારી ખુબજ મહેનત અને અથાગ પરિશ્રમ થી કરતા હોઈ છે, અને હાલના ઘણા નવયુવાન એવા પણ હોઈ છે કે, જે એટલી મહેનત કર્યા બાદ નિષ્ફળ જાય તો તે નાસીપાસ થતા હોઈ છે, પરંતુ ગમે તેવી અસફળતા ની નાસીપાસ થવું નહિ, કારણ કે જીવનમાં સફળ થવાના ઘણા બધા રસ્તાઓ છે, એક રસ્તો બંધ થઇ જતા બીજા રસ્તાઓ ખુલ્લી જ જાય છે. પરંતુ ઘણા નવયુવાન પોતાની ગમે તે પરીક્ષા કે પછી પ્રેમ માં હારી જતા બીજો કોઈ અન્ય રસ્તો નહિ, પરંતુ મોત નો રસ્તો પસંદ કરે છે.

તેવીજ એક વાત કરીએ તો હાલ પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી અનેક યુવાનો અને યુવતીઓ જોરદાર મહેનત કરે છે, પરંતુ તેવી જ એક મહેનત કરતો રાજકોટ નો નવયુવાન આ પરીક્ષામાં નાસીપાસ થતા આ યુવકે આપઘાત કરી લીધો હતો, આ ઘટના રાજકોટ ના લીલી સાજડીયાણી ગામની છે.

ઘટના વિષે જાણવા મળેલ વિગત પ્રમાણે રાજકોટ જીલ્લાના લીલી સાજડીયાણી ગામમાં રહેતો નિકુંજ મકવાણા નામનો યુવક પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ આ ભરતીની દોડમાં તે નાપાસ થતા આ યુવાન ખુબજ દુખી થયો હતો, અને તેના મનમાં એવો વિચાર આવ્યો કે તેના જિંદગીના તમામ દરવાજા બંધ થઇ ગયા. અને તે ખુબજ નાસીપાસ થયો, તેના કારણે તે ખુબ ડિપ્રેસ થઇ ગયો હતો, અને તેને આપઘાત સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો, તેણે ગઈ કાલે ઝેરી દવા પીધી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આજે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

આ યુવાન ની મોત ની જાણ તેના ગામ લીલી સાજડીયાણી ગામમાં થતા આ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના ખુબજ દુઃખમય છે, અને આ ઘટના થી આગળ ના યુવાનો ને સમજવું જોઈએ કે જિંદગી માં હાર-જીત, પાસ-નાપાસ, જેવી પરિસ્થતિ આવ્યા જ કરે છે, તેનીથી શીખવું જોઈએ તેનાથી ડરી ને નાસીપાસ થવું જોઈએ નહિ, અને આ પરીક્ષા જિંદગીની છેલ્લી પરીક્ષા નથી, અને આપણી અથાગ મહેનત અને પરિશ્રમ થી આપણને કુદરત ફળ આપે છે, તેથી કોઇપણ ક્ષણે નાસીપાસ થવું જોઈએ નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!