બૉલીવુડમાં શોકનો માહોલ, સિંઘમ જેવી સુપરહિટ ફીલમાં અભિનય કરનાર અભિનેતાનું થયું દુઃખ નિધન, ઘણા સમયથી…
હાલમાં જ ફિલ્મ જગતમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, મરાઠી અભિનેતા રવિન્દર બેરડેએ આ દુનિયામાંથી વિદાય લીધી છે. તેઓ ગળાના કેન્સર પીડાય રહ્યા હતા. 78 વર્ષની વયે આખતે તેમને પોતાના જ ઘરે અંતિમ શ્વાસ લીધા.
એબીપીની એક રિપોર્ટ અનુસાર, અભિનેતાનું છેલ્લા કેટલાક મહિનાઓથી ટાટા હોસ્પિટલમાં ગળાના કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો હતા. અભિનેતાના પરિવાર વિષે જાણીએ તો તેઓ લક્ષ્મીકાન્ત બેરડેના ભાઈ હતા, જેઓ હિન્દી અને મરાઠી સિનેમા બંનેમાં એક લોકપ્રિય ચહેરો હતા, તેમણે હમ આપકી હૈ કૌન જેવી ફિલ્મોમાં દેખાયા હતા.
રવિન્દર બેરડેએ મરાઠી સિનેમામાં સક્રિયપણે કામ કર્યું અને અનિલ કપૂર અભિનીત એ નાયક અને અજય દેવગનની સિંઘમ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કેટલીક ખાસ ભૂમિકાઓ ભજવી. સિંઘમમાં તેમણે જમીનદાર ચંદ્રકાન્તની ભૂમિકા ભજવી હતી.
રવિન્દરને આ પહેલાં પણ 1995માં હૃદયરોગનો હુમલો થયો હતો, જ્યારે તેઓ એક મરાઠી નાટકમાં અભિનય કરી રહ્યા હતા. તેઓ બચી ગયા, પરંતુ 2011માં તેમને ગળાના કેન્સરનું નિદાન થયું. જો કે, તેમણે શોબિઝમાં કામ કરવાનું ચાલુ રાખ્યું અને 100 થી વધુ મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો, આજે તેમણે આ દુનિયામાંથી ભલે વિદાય લઇ લીધી પરંતુ આજે પણ તેઓ પોતાના અભિનય થકી લોકોનાદિલોના પોતાના કિરદાર થકી જીવંત રહેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.