સંત નૌતમ સ્વામીએ સાળંગપુર ભીંતચિત્ર મામલે કહી દીધી આ મોટી વાત ! કહ્યું કે “વ્યક્તિગત પ્રશ્નો હોઈ તો યોગ્ય ફોરમમાં ફરિયાદ….
સાળંગપુર ભીંતચિત્ર મામલો હવે ધીરે ધીરે વધુ ગરમ થતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જ્યારથી આ ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે ત્યારથી સંત સમાજ તથા અનેક એવા મોટા મોટા મહંતો રોષે ભરાયા હતા એટલું જ નહીં આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી હાલ ઉચ્ચારવામા આવી છે. મોરારી બાપુ, કાબરાઉ મોગલ ધામના મણિધર બાપુ તેમ જ અનેક એવા મોટા મોટા સંતોએ આ વિવાદ મામલે પોતાના નિવેદન આપ્યા છે.
ધીરે ધીરે આ વિવાદની આગ વધતી જઈ રહી છે તેવું પણ આપણે કહી શકીએ છીએ, એવામાં આ મામલાને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સંત નૌતમ સ્વામીએ આ બાબતે એક કાર્યક્રમ દરમિયાન પોતાનું નિવેદન આપ્યું હતું, અમુક ખાસ એહવાલો અનુસાર જાણવા મળેલ છે કે આ નિવેદન તેઓએ ખંભાતમાં યોજાયેલ એક કાર્યક્રમની અંદર આપ્યું છે, તો ચાલો તેમને આ મામલે શું કહ્યું તે જણાવી દઈએ.
વડતાલના સંત નૌતમ સ્વામીએ આ બાબતે કહ્યું હતું કે સ્વામિનારાયણ એક ભગવાન છે, સ્વામિનારાયણે સંપ્રદાયના સંતોને નીર વ્યસની કરવાનું કાર્ય કર્યું હતું, પુરાણોમાં સ્વામી સંપ્રદાયના વિદ્વાન સંતો સાબિત કરવા પણ તૈયાર છે કે સ્વામીનરાયણ ભગવાન છે, આ અંગે વ્યક્તિગત ચર્ચાઓ કરવાની પણ છૂટ છે. આટલું કહ્યા બાદ નૌતમ સ્વામીએ સૌને કહ્યું હતું કે અનેક લટો છોડી અધર્મનો નાશ કરીને ધર્મનું સ્થાપન કર્યું છે તેમજ સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ અનેક સેવાકીય પ્રવુતિઓ ચાલી રહી છે તેમ જ શૈક્ષણિક પ્રવૃતિઓ પણ ચાલી રહી છે.
નૌતમ સ્વામીએ આગળ કહ્યું હતું કે સુ સંસ્કૃત સમાજ રચવાનું કામ આપણા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થયું છે,એવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ ઉત્કર્ષ સહન ન કરી શકે કોઈ એલફેલ બોલે તો તેનાથી ગભરાવું નહિ, આપણા સમાજની અંદર કોઈ ભગવાનને અપમાન કરવાનો ક્યારેય હેતુ હોતો નથી. સ્વામિનારાયણ મંદિરોની અંદર હનુમાનજી, ગણેશજીની અનેક મૂર્તિઓ છે અને તેઓની પૂજા થાય છે, એટલા માટે જ સ્વામિનારાયણ એક ભગવાન છે.
નૌતમ સ્વામીએ કહ્યું હતું કે “ભગવાનના સ્વામીનરાયણની પણ શ્રી હનુમાનજીએ હાજર રહીને સેવા કરી જ છે આખી ઇતિહાસ તેનાથી ભરેલો છે, જો કોઈને વ્યક્તિગીત નાના મોટા પ્રશ્નો હોય તો તે યોગ્ય ફોરમમાં જઈને ફરિયાદ કરી શકે છે, જેનો કોર્ટમાં જવાબ મળી જશે. કોઈ નાના-મોટા લોકોને સંપ્રદાયના કોઈ પણ લોકોને જવાબ દેવાની જરૂર નથી.”
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે ચાલી રહેલ વિવાદને લઈને કહી આ વાત, જુઓ વિડીયો 👇👇#viralvideo #GujaratiNews #gujarat pic.twitter.com/Qh8shJRggf
— Gujarati Akhbar (@TodayGUJARAT1) September 1, 2023
નૌતમ સ્વામીનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે,સોશિયલ મીડિયાના ત્રણેય માધ્યમોમાં આ વિડીયો પર લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, તમારું આ મામલે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો.