ગુજરાતની વધુ એક ધ્રુજાવી દે તેવી ઘટના ! એક નાની એવી ભુલ અને પતિ પત્ની અને દીકરીનુ એક સાથે કરુણદાયક મોત થયું
હાલ ના સમય મા રોજ અકસ્માત ની ઘટના ઓ બની રહી છે ત્યારે હાલ જ એક ખુબ દુખદ અકસ્માતની ઘટના સામે આવી છે જેમા આખો પરીવાર હોમાયો ગયો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ અને થવા ગામની વચ્ચે ખરાબ રોડ ના કારણે આ ઘટના બની હતી જેમા ખાડાથી બચવા જતા કાર બળદેવા ડેમની ખાડીમાં ખાબકી અને એમાં બેઠેલાં પતિ, પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યાં હતાં જેના કારણે સમગ્ર પંથક મા અરેરાટી મચી ગઈ હતી.
ઘટના અંગે જાણવા મળેલ વિગતે મુંજબ વડિયા ગામની દેવનારાયણ સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારી એલ.યુ. વસાવાનો 38 વર્ષીય પુત્ર સંદીપકુમાર વસાવા તેની પત્ની યોગીતા અને ત્રણ વર્ષ ની બાળકી સાથે નેત્રંગ રહેતા હતા. જ્યારે તેવો ગઈ કાલે રાત્રે જમીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રમણપુરા ખાતે બ્રિજ પાર રસ્તો ખરાબ હોવાથી ખાડો તારવવા જતા સંદિપકુમારે ગાડી ના સટેયરીંગ પર નો કાબુ ગુમાવ્યો હતો અને કાર બ્રિજ નીચે થીડેમના રિઝર્વ પાણીના તળાવમાં ખાબકી હતી.
કાર ખાબકતાની સાથે જ તેવો એ બમાબુમ કરી હતી અને બચવા નો પ્રયાસ કર્યો હતો પરંતુ રાત્રી નો સમય હોવાથી પરંતુષકોઈ મદદે આવી શકે એમ નહોતું અને ત્રણેય વ્યક્તિનાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે આ ઘટના ની જાણ થતા ની સાથે જ નેત્રંગ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય ના મૃતદેહો ને બહાર કાઢી ને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા જ્યારે આ ઘટના અંગે સંદીપકુમાર ના પિતાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
આ ઘટના ની જાણ પરિવાર ને થતા તેવો તાત્કાલિક દોડી આવ્યા હતા જ્યારે અચાનક જ નાનો એવો પરિવાર નો માળો વિખાઈ જતા સમગ્ર વડીયા ગામ મા દુખ ની લાગણી ફેલાઈ હતી સવારે રાજપીપળા વડિયા ખાતે આવેલી દેવનારાયણ સોસાયટીમાંથી એકસાથે પિતા, માતા અને પુત્રી એમ એક પરિવારના ત્રણ સભ્યોની એક સાથે મૃતદેહો જોઈ ગામ આખું હીબકે ચઢ્યું હતું સંદીપકુમાર ના પત્ની યોગિતા વસાવા નેત્રંગ તાલુકામાં તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવતાં હતાં.