Gujarat

હાથ કાળા કરનારાઓમાં ફફડાટ ! બોટાદ ના લઠ્ઠાકાંડ ની તપાસ આ બે પોલીસ અધિકારી ને સોંપાઈ…

હાલમાં ગુજરાતમાં ચારોતરફ લઠ્ઠાકાંડની ચર્ચા થઈ રહી છે અને ગુજરાતમાં દારૂબંધી અંગે અનેક સવાલો ઉદ્દભવ્યા છે તેમજ લોકોએ સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. આપણે જાણીએ છે કે, લઠ્ઠાકાંડમાં 55થી વધુ  લોકોના મોત નિપજ્યા છે. જ્યારથી આ ઘટના ઘટી છે, ત્યારથી સરકારથી લઈને પોલીસ પણ કડક બની છે અને રાજ્ય સરકારે  દેશીદારૂની ભટ્ટીઓ નાબૂદ કરીને બૂટલેગરો સામે કડક કાર્યવાહી  નિર્દેશ આપ્યા છે. લઠ્ઠાકાંડની પુરેપરી તપાસ અંગે બે આધિકારીશ્રીઓને જવાબદારી સોંપાઈ છે.

તમને જાણીને આશ્ચય થશે કે, આ તપાસ માટે ખાસ કરીને આઇપીએસ નિર્લીપ્ત રાય અને જ્યોતિ પટેલને સોંપવામાં આવી છે. આ સમાચાર સામે આવતાની સાથે જ બુટલેગરોમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. જ્યારે નિર્લીપ્ત રાય બોટાદ પોલીસ સ્ટેશ પહોંચ્યા ત્યારે પોલીસ સ્ટેશનનો સ્ટાફ છૂમંતર થઇ ગયો હતો અને મોબાઇલ ફોન પણ બંધ કરી દીધા હતા.બરવાળા બાદ રાણપૂર અને તેના પછી ધંધુકા પોલીસ સ્ટાફ ભાગી ગયો હતો. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી કહેવાય કે માત્ર આવતાની સાથે જ લોકોનાં તેમનો ખોફ વર્તાય રહ્યો છે.

આઇપીએસ નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતાં ધરપકડના ડરે પોલીસ રીતસર પોલીસ સ્ટેશન છોડી ભાગી જતા પોલીસ સ્ટેશન ખાલી થઇ ગયા હતા. ધંધુકા પોલીસ સ્ટેસનનો સ્ટાફ ભાગી જતાં તેમની ભુમિકા શંકાસ્પદ હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે. આઇપીએસ નિર્લિપ્ત રાયએ અમરેલી જિલ્લામાંથી 3 જેટલા અધિકારીઓને બોલાવેલ. હાલમાં આ ઘટનામાં અનેક પ્રકારના ચોંકાવનાર ગુન્હાઓ સામે આવી શકે છે.

આપણે જાણીએ છે કે, દારૂબંધી અને ગુજરાતમાં બુટેલેગરો પર તેજ નજર રાય રાખી રહ્યા છે તેમજ તેમને ગાંધીનગર ખાતે સ્ટેટ મોનીટરિંગ સેલની જવાબદારી સોંપાઈ છે અને તેમના દ્વારા ગુજરાતમાં દરેક જગ્યા એ દારૂબંધી પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ અનેક કુખ્યાત બુટેલેગરોને પકડી લેવામાં આવ્યા છે. હાલમાં હવે આ લઠ્ઠાકાંડની જવાબદારી તેમને સોંપાતા આ કેસમાં અનેક ગુનેગારો સામે આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!