India

ફરી એક વખત ગુજરાતની ભૂમિ પર પધારશે ધીરેન્દ્ર શાસ્ત્રી!! નવરાત્રી પેહલા આ તારીખે અને આ જગ્યાએ…

બાગેશ્વર ધામના ધીરેન્દ્રશાસ્ત્રીજી એ ગુજરાતમાં ત્રણ મહાનગરોમાં દિવ્ય દરબાર યોજીને સૌ કોઈ ગુજરાતીઓને દિવ્ય ભક્તિમાં લીન કરેલ. હાલમાં ફરી એકવાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો  અંબાજીમાં 3 દિવસનો દિવ્ય દરબાર યોજાશે. ચાલો અમે આપને આ આયોજન વિશે વધુ વિગતવાર માહિતી આપીએ.

ગુજરાતના ભાવિ ભક્તો માટે ખુશ ખબર છે કે, આગામી નવરાત્રી પર્વ પર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિવ્ય દરબારનું ભવ્ય આયોજન થશે.પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર  નવરાત્રીના પ્રથમ નોરતે યાત્રાધામ અંબાજી ખાતે બાબાના દિવ્ય દરબારની શરૂઆત થનાર છે.

આ કાર્યક્રમની રૂપરેખા જાણીએ તો તા. 15 ઓક્ટોબરના રોજ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું શરૂઆત થશે અને ત્યારબાદ બીજા નોરતે કથાના બીજા દિવસે પરચા ખોલવામાં આવશે.

કથાના ત્રીજા દિવસે 17 ઓક્ટોબરના કથાનું સમાપન થશે. ત્યારબાદ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી અમદાવાદ ખાતે કથાનું ત્રી-દિવસીય આયોજન કરવામાં આવશે. હાલમાં તો સૌ ભાવિભક્તો અંબાજી જવા આતુર છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!