૧૦ વર્ષની માસુમના આપઘાત કેસમાં ચોંકવનારી વિગત સામે આવી ! ટીવી સીરીયલ..
હાલની યુવા પેઢી નું મગજ અને તેમનો સ્વભાવ ખુબજ બદલાઈ રહ્યો છે, હાલની યુવા પેઢી પોતાની જીદ અનુસાર કોઈના કહ્યા માં ન આવી કોઈકવાર એવું પગલું ઉપાડી લે છે કે જે પોતાની માટે અને પોતાના માં-બાપ માટે જીવલેણ સાબિત થતું હોઈ છે, હાલની યુવા પેઢી જેટલી પોતાની સ્માર્ટનેસ અને કુશળતા થી આગળ છે, તેટલી જ જીદ્દી અને ગુસ્સા ભરી થઇ રહી છે, તેથી હાલના માતા-પિતા ને આ યુવા પેઢી ને સંભાળવા ખુબજ અલગ રીતે સંભાળ કરવી પડે છે, કારણ કે નહીતર આ યુવા પેઢી પોતાના જીવનમાં કોઈ અઘરું પગલું ઉપાડી લે છે.
તેવી જ એક વાત કરીએ તો એક માત્ર ૧૦ વર્ષની દીકરી એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો, કારણ જાણી આપણે વિચારમાં પડી જશું. ઘટનાની વાત કરીએ તો રાજકોટ ના રામનાથપ્રા વિસ્તારમાં આવેલા ભવાનીનગર-૨ માં રહેતા કપિલભાઈ ચૌહાણ ને નાનામવામાં રહેતા કૌટુંબિક ને ત્યાં હવન નો પ્રસંગ હતો, અને કપિલ ભાઈ અને તેના પત્ની અને તેના બાળકો ને તૈયાર થવા માટે કહ્યું, ત્યારે કપિલભાઈ એ તેમની દીકરી ખુશાલી (ઉ.વ.૧૦) કે જેને તૈયાર થવા માટે કહ્યું, પરંતુ તેને સાથે આવવાની ના પાડતા, જીદ્દી સ્વભાવ ની દીકરી ખુશાલી ને સાથે આવવાનું કહેવા છતાં તેને આવવાની ના પડતા કપિલભાઈ તેની પત્ની અને અન્ય બે સંતાનો એ ધાર્મિક પ્રસંગમાં ગયા હતા.
ત્યારબાદ કપિલભાઈ અને તેમનો પરિવાર પ્રસંગ પૂર્ણ થતા બાદમાં બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે પોતાના ઘરે પરત આવતા તેમણે જોયું દરવાજો અંદર થી બંધ છે, તેમણે દરવાજો ખુબ ખખડાવ્યો પરંતુ દરવાજો ખુલ્યો નહિ, ત્યારબાદ તેના ઘરની પાછળની બારીએ જોવા ગયા, અને ત્યાં તેમણે જોયું તો તેની પુત્રી ખુશાલી લટકતી હાલતમાં જોવા મળી હતી. ત્યારબાદ તરત જ કપિલભાઈ ના ઘરનો દરવાજો તોડી અંદર આવ્યા અને, તાત્કાલિક ધોરણે ખુશાલી ને હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ ત્યાં તો એ દીકરી નું મૃત્યુ થઇ ગયું હતું. આ માત્ર ૧૦ વર્ષની દીકરી એ જીદ એ ભરાઈ આવું અઘરું પગલું ભર્યું તેનાથી તેના માતા પિતા પડી ભાંગ્યા હતા, અને હતપ્રભ થઇ ગયા હતા.
આ ઘટનાની વાત કરીએ તો આ ઘટના ગત રવિવાર ના બપોર ના સમયગાળાની છે, કે આ તરુણીને તેના પરિવાર જનો હવન ના પ્રસંગ માં ન લઇ જતા તેના ઘરે ચુંદડીથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ હતો, બનાવ ની જાણ થતા ત્યાના એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ એ દોડી ગઈ, અને આગળની તપાસ હાથ ધરી હતી, પોલીસ ને મળતી માહિતી અનુસાર તેમણે જણાવ્યું કે મૃતક તરુણી ટીવીમાં ક્રાઈમ પેટ્રોલ જોવાની શોખીન હતી, તે જોઈ ગળાફાંસો ખાવાનું શીખ્યાનું જાણવા મળેલ છે.