Gujarat

નવસારી ના શિક્ષકે શર્મ નેવે મુકી ! શાળા માથી ફરજ મુક્ત કરતા ધોરણ 7…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દરેક ના જીવનમાં ગુરુ નું સ્થના ઘણું મહત્વનું હોઈ છે માતા પિતા બાદ ગુરુ જ એવી વ્યક્તિ છે કે જેને વિધાર્થી ને સાચી દિશા બતાવવાની હોઈ છે પોતાની પાસે રહેલા જ્ઞાન ની મદદથી વિધાર્થી આગળ વધે તેવી ભાવના દરેક વ્યક્તિની હોઈ છે. બાળકોને ભણાવી ને યોગ્ય બનાવવા અને સમાજ તથા જીવન માં આગળ વધી શકે તેવી માહિતી અને શિક્ષણ આપવું તે શિક્ષક ની જવાબદારી છે. માટે જ ગુજરાતી માં શિક્ષક ને માસ્તર કહેવામાં આવે છે એટલે કે માં ના સ્તર ની વ્યક્તિ. પરંતુ ઘણી વખત પથ દર્શી શિક્ષકો જ પોતાનો પથ ભૂલી જાય છે અને અમુક એવી ઘટના બની જાય છે જેના કારણે શિક્ષક પર સવાલ ઉઠે છે.

હાલમાં આવોજ એક કિસ્સો પ્રકાસ માં આવ્યો છે કે જ્યાં એક શાળા દ્વારા એક શિક્ષક ને શાળામાંથી દુર કરતા બદલો લેવાના ઈરાદે આ શિક્ષકે એટલી નિમ્ન પ્રકારની હરકત કરી કે જાણી ને તમે પણ શરમ અનુભવશો. આ ઘટના નવસારી માં આવેલ જલાલપોરમાં આવેલા ભાનુનગર ની એક ખાનગી શાળા કે જેનું નામ એસ્ટ્રલ ગ્લોબલ શાળા છે ત્યાની છે અહીના એક શિક્ષક કે જેનું નામ પુરૂષોતમ ઉર્ફે પરેશ છે તેની ઘણી જ નિંદનીય કામ કર્યું છે.

જણાવી દઈએ કે વિધાર્થી ની પરિક્ષા ને લઈને શાળા અને શિક્ષકો તરફથી એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું જેમાં વિધાર્થીઓ ને માહિતી તથા મટીરીયલ મોકલવા માટે આ ગ્રુપ નો ઉપયોગ થતો હતો આવાજ શાળા ના ધોરણ 7 ના ગ્રુપ માં પરેશ પણ હતો કે જેણે વિધાર્થીઓ ના ગ્રુપમાં પોર્ન વીડિઓ મોકલતા ખળભળાટ થઇ જવા પામ્યો હતો, જણાવી દઈએ કે આ જયારે વિધાર્થીઓ ગ્રુપમાં આવા અશ્લીલ વીડિઓ જોયા ત્યારે તેઓ થોડા મુંજાઈ ગયા.

જે બાદ વાલીઓ તરફ થી શાળા ને ફરિયાદ કરવામાં આવી ત્યારે આચાર્યે જયારે પરેશ ને ફોન કરી આવું કરવા પાછળ જવાબ માંગ્યો ત્યારે પોતે બાબત અંગે જાણતો નથી તેમ કહી આચાર્ય સાથે લડવા લાગ્યો અને ફોન બાદ તેણે ગ્રુપમાં કરેલ પોસ્ટ પણ ડીલીટ કરી જોકે હવે શાળા દ્વારા અને વાલીઓ દ્વારા આ શિક્ષક વિરુધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાત વધતા જોઇને પરેશે વીડિઓ દ્વારા વિધાર્થીઓના પરિવાર પાસે માફી માંગી અને વિધાર્થીઓ ના બદલે અન્ય ગ્રુપમાં વીડિઓ મોકલવાના હતા પરંતુ ભૂલથી તેમાં મોકલાઈ ગયા તેવું પણ જણાવ્યું.

જો કે હાલમાં શાળાએ પરેશ ને ગ્રુપ થી દુર કર્યો છે પ્રાદેશિક શિક્ષણ વિભાગ દ્વારા આ શરમજનક ઘટના ને લઈને જવાદ માંગવામાં આવ્યો ત્યારે આચાર્યે જણાવ્યું કે આશરે ૧૫ દિવસ પહેલા અનિયમિતતા અને અન્ય કારણો ને લઈને પરેશને નોકરી માંથી દુર કરવામાં આવ્યો હતો જેના કારણે તેણે બદલો લેવાના ઈરાદે આવું નિમ્ન પ્રકારનું કર્યું હશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!