પાટીદાર સમાજમા શોક નો માહોલ ! પાટીદાર સમાજના અગ્રણી વાસુદેવભાઈ પટેલે નુ નીધન થયુ
હાલમાં જ ત્રણ દિવસ પહેલા પાટીદાર પોતાના અમૂલ્ય રતન સમાન એવા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના ઉપપ્રમુખ અને ઝાલાવાડી સમાજના અગ્રણી શ્રી વાસુદેવ ભાઈ પટેલનું દુઃખ નિધન થઈ ગયું. ત્યારે પાટીદાર સમાજમાં દુઃખદ વાતાવરણ છવાઇ ગયું છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયી છે અને તેમની ખોટ સમાજમાં સદાય વર્તાશે. અત્યાર સુધી તેમને પોતાનું જીવન સદાય સમાજ સેવામાં સમર્પિત કર્યું છે. સમાજમાં પોતાનું મહત્વનું યોગાદાન આપવા માં સદાય તેઓ મોખરે રહેતા હતા. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે, કંઈ રીતે તેમનું દુઃખદ નિધન થયું તે અમે આપને જણાવીએ.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, 80 વર્ષના વાસુદેવભાઈ પટેલે કોરોનાને હરાવ્યો પણ કહેવાય છે ને કે, જીવનમાં જ્યારે જે વ્યક્તિનો જવાનો સમય થઇ જાય છે, ત્યારે મુત્યુ કોઈપણ માર્ગે થી વ્યક્તિની નજીક આવી જાય છે. વાસુભાઈ કોરોના સામે તો જીવનની જંગ જીતી ગયા પરતું કહેવાય છે ને કે, ઈન્ટર ઓર્ગન ડેમેજ હોવાના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારે સવારે અવસાન થતાં સમાજમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી..
જ્યારે લોકોને મૃત્યુના સમાચાર જાણવા મળતાં જ તેમના અમદાવાદ સ્થિત નિવાસે અંતિમ દર્શને મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક અગ્રણીઓ ઊમટી પડ્યા હતા.વાસુભાઈના અંગત જીવન વિશે જાણીએ તો વાસુભાઈવિરમગામ તાલુકાના દેવપુરા ગામના વતની હતા અને વઅમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. સબમર્સિબલ બાદ બિલ્ડરના વ્યવસાય સાથે જોડાયા હતા. પરિવારને આર્થિક રીતે સધ્ધર બનાવી છેલ્લા 20 વર્ષથી પોતે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાઈ ઝાલાવાડી કડવા પાટીદાર સમાજ તેમજ સ્વામિનારાયણ સંસ્થામાં સેવાકાર્યો કરી રહ્યા હતા.
ખાખરિયા ઝાલાવાડી કડવા પાટીદાર સમાજ કેળવણી મંડળ અમદાવાદની સ્થાપના કર્યા બાદ કડીમાં સમાજ પ્રેરિત સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે ધૂરા સંભાળી વિદ્યાર્થીઓમાં પ્રેમ સંપાદન કરી વાસુદાદાના હુલામણા નામથી લોકપ્રિય હતા. પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો અને સરકાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.કડીના સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યાના 17 વર્ષના શાસનકાળમાં 19 બિલ્ડિંગો ઉભી કરી બાલમંદિરથી લઇ કોલેજ સુધીના અભ્યાસક્રમો શરૂ કરી.
દીકરા- દીકરીઓને શિક્ષિત બનાવી પગભર બનાવવામાં મહત્વનું યોગદાન વાસુદાદાએ આપ્યું છે.પાટીદારોના આસ્થાનું કેન્દ્ર ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના ઉપપ્રમુખ તરીકે એક માસ અગાઉ જ નિમણૂંક કરાઈ હતી.તેમના નિધન થી ખુબ જ મોટી ખોટ પડી છે સમાજને અને તેમના નિધન થી અનેક જાહેરજીવન પર અસર કરશે. ચુસ્ત હરિભગત હોવાને નાતે તેઓ સદાય સાધૂ અને સંતોનો રાજીપો મેળવેલ છે અને જીવનમાં સદ્દકાર્યો કરી મહારાજને ખુશ કર્યા છે. ભગવાન તેમને અક્ષરધામ વાસ આપે એજ શ્રીહરિને પ્રાર્થના.