ભૂખને મારવા વૃદ્ધ બાપા પોતાના પેટે દોરડું બાંધી રાખતા!ત્રણ વર્ષ સુધી રોડ પર જ રહીને…
માનવ સેવા એજ પ્રભુ સેવા ! નિરાધાર અને અહાય વૃદ્ધઓ ને તેમજ ભૂખ્યા ને ભોજન આપવું એ જ માનવ ધર્મ છે. ત્યારે અનેક એવી સંસ્થા ઓ છે, એક એવી જ સંસ્થા એટલે પોપટભાઈ ફાઉન્ડેશન જે અનેક નિરાધાર અને જરૂરિયાત મંદ વ્યક્તિઓની મદદ કરે છે. ત્યારે આજે આપણે હાલમાં એક એવા વૃદ્ધ વિશે વાત કરીશું જેઓ ત્રણ વર્ષ થી રોડ પર સુઈ ને પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. સૌથી મહત્વની અને કરુણદાયક વાત એ છે કે, આ વૃદ્ધ પોતાના પેટ પર દોરી બાંધી રાખતા હતા. આ પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.
પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા આ વૃદ્ધ વ્યક્તિને વ્હારે આવ્યું છે, ત્યારે આ વૃદ્ધ વ્યક્તિને નવજીવન મળ્યું છે. ખરેખર જ્યારે તમે આ વૃદ્ધ વ્યક્તિની હાલત જોશો તો તમને દયા આવી જશે અને તમારી આંખો માંથી આંસુઓ વહી જશે. આ ઘટના છે, વડોદરા શહેરની જ્યાં આ બાપ રોડ પર જ પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. જે લોકોને દયા ભાવના આવે એ વ્યક્તિનો તેમને ની સ્વાર્થ ભાવે સેવા કરતા અને ક્યારેક કોઈ તેમને બેલન્કેટ કે કોઈ તેમને ભોજન આપી દેતું.
ખરેખર આ ઘટના અતિ કરુણદાયક છે. આ બાપાની પરિસ્થિતિ જોઈને કોઈ વ્યક્તિએ પોપટભાઈ ને આ વાતની જાણ વોટ્સએપ દ્વારા કરી અને દર વખતની જેમ તેઓ વાત ની જાણ થતાં જ તેઓ વડોદરા પોહચી ને આ બાપ સાથે તેમણે વાત કરી અને જાણવા મળ્યું હતું કે, તો ત્રણ વર્ષ થી આ જગ્યા એ આવી રીતે પોતાનું જીવન પસાર કરે અને ભૂખ ન લાગે એ માટે પેટ પર દોરડું બાંધી રાખે છે. આ બાપાની ઉંમર એટલી થઈ ગઈ છે કે, તેઓ શરીર થી અશક્ત થઈ ગયા છે.
પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા તેમણે ફરીથી એક નવું જીવન આપ્યું છે. આ નવ જીવન પોપટભાઈ જ આપ્યું છે.પોપટભાઈ મેલાઘેલા દેખાતા વૃદ્ધ ને પોતાના હાથે જ સ્વસ્થ કર્યા અને તેમને આનંદ આશ્રમ ખાતે લઈ જવામાં આવ્યા.જ્યાં હવે તેઓ પોતાનું જીવન પસાર કરશે અને હવે આ બાપા ને ફરીથી એક નવા જીવનની ભેટ મળી છે. જ્યારે આ વૃદ્ધ પોતાના મુખમાં અન્નનો કોડીયો મૂકે છે, ત્યારે તેમની આંખોમાં પણ તૃપ્તિનો અહેસાસ થશે.