સુરતના આંગણે એક જ મંડપમાં હિન્દૂ,મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી દીકરીઓના લગ્ન યોજાયા! જુઓ આ ભવ્ય લગ્નની તસ્વીરો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગઇકાલનાં રોજ સુરત શહેરમાં એક સાથે 135 દીકિરોના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા જેમાં ચ દિવસે સવારે 65 અને સાંજે 70 જેટલી કન્યાના લગ્ન પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલના કેમ્પસમાં યોજાયા હતા. આ આલીશાન તેમજ જાજરમાન લગ્નનું આયોજન પી.પી.સવાણી ગ્રુપ દ્વારા અયોજન કરવામાં આવ્યું હતું.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આ લગ્નનો સમારોહમાંબે દિવસમાં 300 દીકરી પરણાવમાં આવશે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, બે દિવસથી બદલાયેલા મોસમના કારણે ખુલ્લા મેદાનમાં નહી પણ શાળાના સંકુલમાં યોજાયા હતા.આ લગ્નમાં માત્ર હિંદુઓ જ નહીં પરંતુ સાથો સાથ અનેક ધર્મના લોકો અને અનેક જ્ઞાતિની દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું. આવું દ્ર્શ્ય ભાગ્યે જ જોવા મળે છે.
એક તરફ હિંદુ વિધિથી લગ્ન થતા હતા તો બીજી તરફ મુસ્લિમ દીકરીના નિકાહ થતા, ત્રીજી તરફ ઈસાઈ વિધિથી લગ્ન થતા અને ચોથા ખૂણે શીખ વિધિથી લગ્ન વિધિ યોજાઇ એક જ જગ્યામાં આવી રીતે ચારો ધર્મનાં લગ્ન યોજવામાં આવ્યા હતાં.આ શુભ પ્રસંગની શરૂઆત પી.પી.સવાણી ગ્રુપના વલ્લભભાઈ સવાણી અને વિવિધ સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત થઇ હતી, સાંજે વલ્લભભાઈની સાથે વડીલોએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. મહેશ સવાણીએ પાલકપિતા બની દીકરીઓનું કન્યાદાન કર્યું. આવી સૌભાગ્ય તો ભાગ્યવાન વ્યક્તિનાં હાથે જ મળે. આ પહેલા પણ સવાણીભાઈ અનેક દિકીઓના પાલક પિતા બનીને લગ્ન કરાવેલ છે.
શુભ દિવસે ચાર ધર્મની દીકરી આજે એક જ સમારોહમાં પરણ્યા હતા. તમામ મહેમાનોએ અને મહિયારામાં દીકરીના સાસુ-સસરાએ દીકરીનું પૂજન કર્યું હતું.મહેશ સવાણીએ પોતાની પુત્રવધુ જાનકી અને આયુષીનું પૂજન કરીને દીકરીઓને મહિમા દર્શાવ્યો હતો. ચાર તબક્કામાં યોજાઈ રહેલા આ વર્ષના લગ્ન સમારોહની શરૂઆત સવારે સાત વાગ્યે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ લગ્ન સમારોહમાં પિતા વિહોણી 300 દીકરીઓના પાલકપિતા બનીને મહેશ વલ્લભભાઈ સવાણી પરણાવવાનું એક ભવ્ય આયોજન દરવર્ષની જેમ આ વર્ષે પણ કર્યું છે.
આજના લગ્ન સમારોહમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કોંગ્રેસના પ્રતાપ દુધાત, આપ નેતા પ્રવીણ રામ, વિજય સુવાળા, નીખીલ સવાણી સહીત અનેક સમાજ અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.આવા શુભ કાર્યોમાં સૌ કોઈ ભાગીદાર બનીને પ્રસંગને વધુ રૂડો બનાવ્યો હતો. હાલમાં જ્યાં જુઓ ત્યાં આ લગ્નના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે, તેમજ આ લગ્ન અનેક લોકો માટે પ્રેરણાદાયી અને એકતાના પ્રતીક સમાન છે. સુરત શહેર ખૂબ જ ખાસ છે, એટલે જ અનેક શુભ કાર્યો ત્યાં થી શરૂ થાય છે.
આ લગ્નન સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે સમૂહ લગ્ન અને સમાજ દ્વારા લાવવામાં આવેલી જાગૃતિના કારણે હવે 90% વરઘોડા ઓછા થયા છે. સાસરે જતી દીકરીઓને વેવાઈઓ દીકરાનું સ્થાન આપે તેવી પ્રાર્થના એમણે કરી હતી. મહેશભાઇએ કહ્યું હતું કે, દીકરી જ્યાં સુધી માના સ્વરૂપમાં હોય, ત્યારે ઘર એક સ્વર્ગ બની જાય છે. વેવાઈ વેવાણને વિનતી કરી કે દીકરીઓનું જતન કરશો. દીકરીઓને જણાવ્યું કે સાસુ-સસરાને માં-બાપ સમજજો, નણંદ, દેરાણી, જેઠાણીને બહેન માનશો.દીકરીઓએ મહેશભાઇને લખેલા પત્રો અને મહેશભાઇના પત્ર દ્વારા પિતા-પુત્રીનીલાગણીનો પ્રવાહ વ્યક્ત થયો છે, તેવું પુસ્તક ‘ચુંદડી મહિયરની નું વિમોચન કરવામાં આવ્યું. જેમાં દીકરીઓના વ્હાલ અને વેદનાના પત્રો પ્રકાશિત થયા છે.