Gujarat

પરિણીત મહીલાએ પ્રેમી સાથે રહેવા એવો પ્લાન બનાવ્યો કે પોલીસ પણ ગોથું ખાઈ ગઈ ! બધા ને લાગ્યુ કે નદી મા ડુબી ગઈ પણ તે તો પ્રેમી સાથે…

હાલ ના સમય મા લગ્ન અફેર મા પ્રેમીઓ શુ કરે કાઈ નકી નથી હોતું ત્યારે હાલ જ એક એવો વિચીત્ર કિસ્સો સામે આવ્યો છે જેમા એક પરિણીત મહિલાએ પોતાના પ્રેમી સાથે રહેવા માટે મરવાનું એવું નાયક કર્યુ કે આ કેસ ની તપાસ કરી રહેલી પોલીસ પણ ચકરાઈ ગઈ હતી અને મહીલા જીવતી નીકળી હતી.

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો આ ઘટના મધ્ય પ્રદેશ ના રતલામ શહેર મા સામે આવી હતી. જેમા વિષ્ણુબાઈ નામની મહિલા નારાયણી ગામની રહેવાસી છે. બે દિવસ પહેલા તે તેના બે બાળકો સાથે ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. જ્યારે સાસરિયાઓએ પુત્રવધૂની શોધખોળ કરી ત્યારે તેમને ગામ નજીક લુણી નદીના કિનારે તેમના ચપ્પલ મળી આવ્યા હતા. સાસરિયાઓને લાગ્યું કે તેમની વહુ નદીમાં ડૂબી ગઈ છે. આવી સ્થિતિમાં તેમણે પોલીસ ને જાણ કરી હતી.

પોલીસ અને NDRF ની ટીમ દ્વારા બે દિવસ સુધી સતત નદી મા આ મહીલા ને શોધવામા આવી હતી પરંતુ મહીલા મળી નહોતી ત્યારે પોલીસ ધ્વારા ગાણ લોકો ને પુછતાછ કરતા ચોંકવાનારો ખુલાસો થયો કે મહીલા કોઈ યુવક ની બાઈક પર બેસી ને જતી જોવા મળી હતી જ્યાર બાદ પોલીસ ને શક હતો કે મહીલા કદાચ કોઈ સાથે ભાગે ગઈ હોય શકે ત્યારે પોલીસ દ્વારા મહીલા નો ફોન નંબર ટ્રેસ કરાયો હતો.

નંબર ટ્રેસ કરાતા મહીલા ની લોકેશન રાજસ્થાન જાણવા મળેલ જ્યાર બાદ મહીલા ખુદ પોલીસ સ્ટેશન મા હારજ થઇ અને બધુ જણાવ્યુ હતુ કે “તે રાજસ્થાન મા ઘનશ્યામ રાઠોડ સાથે આઠ વર્ષ થી પ્રેમ કરે છે અને તેઓ એ લગ્ન પણ કરી લીધા છે અને હવે તે પ્રેમી સાથે જ રહેવા માંગે છે” તેવું જણાવ્યુ હતુ. મહિલાની આ વાત સાંભળીને તેના સાસરિયાઓ સ્તબ્ધ થઈ ગયા. બીજી તરફ પોલીસે મહિલાને રતલામના નારી નિકેતન મોકલી હતી. હાલમાં તે તમામ પાસાઓથી મામલાની તપાસ કરી રહી છે. ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!