ખેડૂતનો દિકરો સરકારી સ્કુલમા મણી ને 6 સરકારી મેળવી અને આખરે IPS બન્યા..
કહેવાય છે ને આપણી મહેનત અને સાચી લગ્ન થી આપણે જે સપનું જોયું છે તે આપણે સાકાર કરીએ છીએ, એ સપનું પૂરું કરવા માટે ખુબજ કઠોર પરિશ્રમ અને ખુબજ કડી મહેનત કરવી પડે છે, તેવીજ એક રાજસ્થાન ના ખેડૂત પુત્ર ની વાત કરીએ તો તેને આઈ.પી.એસ બનવા માટે પોતાના જીવનમાં ખુબજ, મહેનત અને બલિદાન આપ્યા છે અને આખરે તે આઈ.પી..એસ બન્યો ખરી.
૭ ફેબ્રુઆરી ૧૯૮૮ ના રોજ પ્રહલાદ મીના સહાય નો જન્મ રાજસ્થાન માં થયો હતો, તેના જીવન ની આત્મકથા આપણા સૌ માટે પ્રેરણાદાયક છે, તેણે તેના જીવનમાં ખુબજ સંઘર્ષ કર્યો હતો. પ્રહલાદ ના અભ્યાસ ની વાત કરીએ તો તે ધોરણ-૧૨ માં પોતાના સ્કુલ માં પ્રથમ નંબરે આવ્યો હતો. પ્રહલાદ સૌપ્રથમ એન્જિનિયર બનવા માંગતો હતો, પરંતુ તેના પરિવાર ની પરિસ્થતિ ને આધીન તે અભ્યાસ માટે બહાર જઈ શકે તેમ ન હતો, ત્યારબાદ તેને સરકારી નોકરી ના પ્રયત્નો કરવાની શરૂઆત કરી હતી.
પ્રહલાદ ના ધોરણ-૧૨ અભ્યાસ દરમિયાન જયપુર માં તે ભાડે રૂમ રાખીને રેવા લાગ્યો અને તે દરમિયાન તેના ગામના એક છોકરા નું રેલ્વે ગ્રુપ ડી (ગૈગમેન) માં સિલેકશન થયું, એ જોઈ પ્રહલાદ ને પણ તેમાં રસ લાગ્યો અને તે પણ આ ગ્રુપ માં જોડાયો. અને તેની સાથે રેલ્વે ની પરીક્ષાઓ સાથે ની તૈયારી માં તે સંકળાય ગયો હતો, રાજસ્થાન કોલેજ માં તેણે પ્રવેશ લીધો અને બીજા જ વર્ષમાં તે વર્ષ-૨૦૦૮ માં પહેલી સરકારી નોકરી માં લાગ્યો હતો.
ત્યારબાદ એક પછી એક પ્રહલાદ ને સરકારી નોકરીઓ મળી હતી, વર્ષ-૨૦૦૮ માં ગૈંગમેન ત્યારબાદ SBI માં LDC ત્યારબાદ વર્ષ-૨૦૧૦ માં SBI પ્રોબેશન અધિકારી ત્યારબાદ રક્ષા મંત્રાલય માં AAO ત્યારબાદ ASO તેમની ખુબજ કડી મહેનત થી તેઓ ખુબજ અલગ અલગ ઉચ્ચ લાયકાત વાળી સરકારી નોકરીઓ કરતા હતા, પરંતુ તેમનું લક્ષ્ય ખુબજ ઉચ્ચું હતું, તેમને ક્લાસ-૧ અધિકારી બનવું હતું, એ માટે તેમણે ખુબજ મહેનત કરી પરંતુ વારંવાર તે અસફળ રહ્યા હતા, વર્ષ-૨૦૧૩ થી વર્ષ-૨૦૧૫ સુધી તેમણે ઘણી બધી પરીક્ષાઓ આપી પણ તે અસફળ રહ્યા અને આખરે તેમને તેમની મહેનત નું ફળ મળ્યું, વર્ષ-૨૦૧૬ માં તેમણે સિવિલ પરિષ પાસ કરી અને વર્ષ-૨૦૧૭ માં ઓડીશા કેડર ના આઈ.પી.એસ અધિકારી તેઓ બન્યા હતા.
મહત્વની વાત તો એ હતી કે પ્રહલાદ જે શહેર માં રેલ્વે સ્ટેશન માં રેલ ના પાટા સરખા કરવાનું કામ કરતો હતો તે જ શહેર ના તેઓ આઈ.પી.એસ અધિકારી બન્યા હતા, તે વાત તેના ગામ અને પરિવાર માટે ખુબજ ગૌરવભરી સાબિત થઇ છે, તેઓ હાલ એક રાજસ્થાન ની કોલેજમાં યોજાયેલ સમારોહ માં આવ્યા હતા, ત્યારે તેમણે ખુબજ મહત્વની વાત કરી હતી, કે કોઈપણ વ્યક્તિ સામાન્ય નથી હોતું, પછી તે ગામડા નું હોઈ કે શહેર નું તે વ્યક્તિ એકવાર સફળ થવાનું વિચારી લે તો પછી તે સફળ બને છે, આપણને આપણા પર આત્મવિશ્વાસ હોવો જરૂરી છે, આપણને આપણી મહેનત નાં કારણે તે ફળ મળે છે.