અંબાલાલ પટેલે હીમવર્ષા અને માવઠા ની આગાહી કરી ! જયારે હવામાન વિભાગે….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના શિયાળો ચાલી રહ્યો છે. જેના કારણે લોકો ઠંડીથી ઠુઠવાઈ રહ્યા છે. તેવામાં જો વાત વરસાદ અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે વરસાદની સીઝન આખા દેશમાં ઘણી જ સારી રહી હતી. જેના કારણે દેશના લગભગ દરેક વિસ્તારોમાં વરસાદે પોતાની ભરપૂર હાજરી નોંધાવી હતી. જેના કારણે દેશનો જળ સંકટ ઘણો હળવો પડ્યો હતો. તેવામાં હવે જયારે વરસાદની ઋતુ પૂર્ણ થઇ ગઈ છે અને શિયાળાની ઋતુનો આરંભ થઇ ગયો છે. તેવામાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તો ચાલો આપણે આ આગાહી વિશે વિસ્તારથી વાત કરીએ.
હવામાન વિભાગે કરેલી આ આગાહી થી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જણાવી દઈએ કે રાજ્યમાં હવામાન માં ફેરફાર ને લીધે કમોસમી વરસાદ ની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જણાવી દઈએ કે હાલમાં અરબ સાગર માં જોવા મળતા વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આવા કમોસમી વરસાદની આગાહી આવનારી 5 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી કરવામાં આવી છે.
જો વાત કમોસમી વરસાદ કયા વિસ્તારમાં પડશે તે અંગે કરીએ તો જણાવી દઈએ કે આવો કમોસમી વરસાદ બનાસકાંઠા, સાબરકાંઠા ઉપરાંત પાટણ તથા મહેસાણા ઉપરાંત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો જેવાકે પોરબંદર અને દ્વારકા તથા જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સાથો સાથ કચ્છ માં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.
જો વાત ઠંડી અંગે કરીએ તો હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે વરસાદ બાદ ઠંડીમાં વધારો થઇ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આ દિવસો દરમિયાન ઠંડીના કારણે રાજ્યમાં અમુક વિસ્તારોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી જશે. જેના કારણે ઠંડીનો ચમકારો વધી શકે છે. જણાવી દઈએ કે હાલ રાજ્યમાં ઠંડીનું જોર હળવું પડ્યું છે જેના કારણે અમુક વિસ્તરોમાં તાપમાન 29 ડિગ્રી થી 31 ડિગ્રી જોવા મળે છે.
કમોસમી વરસાદ ને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થઇ ગયો છે. જેના કારણે રવિ પાકને નુકસાન થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ માટે ખેડૂતોને પોતાના તૈયાર પાકને સુરક્ષીત રાખવા અને સલામત સ્થળે ગોડાઉન માં પોતાનો પાક લઇ જવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જો વાત અંબાલાલ પટેલ ની આગાહી વિશે કરીએ તો જણાવી દઈએ કે તેમણે આગાહી કરી છે કે આવનાર સમય એટલે કે 4 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી ના સમય ગાળામાં ઉત્તર ભારત ના અમુક વિસ્તારોમાં બરફ વર્ષા થઇ શકે છે. આ હિમ વર્ષના પરિણામે પંજાબ અને હરિયાણા ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત માં પણ તેની અસર જોવા મળશે અને વાતાવરણ માં પલટો જોવા મળશે.