આમ ભવ્ય રીતે સંપન થઇ વાંકાનેરના મહારાણાના રાજતિલક ની વિધિ જુઓં ફોટા અને વીડિઓ રૂડા અવસરે અનેક લોકો જોડાયા અને.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક અખંડ અને લોકશાહી ઢબેચાલતો દેશ છે અહી લોકો પોતાના વહીવટ કરતા લોકોને સરકાર સુધી પહોચાડવા માટે જાતેજ ચુંટે છે. પરંતુ આઝાદી પહેલા એક સમય હતો કે જયારે ભારત દેશ અનેક નાના મોટા રજવાડામાં વહેચાયેલ હતું. કે જેના પર અનેક રાજવીઓ સાશન કરતા હતા. જોકે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં રાજાશાહી નો સમયગાળો નથી.
પરંતુ આજે પણ એવા ઘણા રજવાડા છે કે જ્યાં પહેલાની જેમજ રાજા અને મહારાજાઓ ના રાજ તિલક કરવામાં આવે છે. આ રાજાઓ ભલે સાશન નથી કરતા પરંતુ પોતાની પ્રજાના હિત અને તેમના વિકાસ માટે સતત અવાજ ઉઠાવતા રહે છે. અને લોકોના મનમાં આજે પણ પોતાના રાજા ને લઈને ઘણો જ સન્માન ભાવ જોવા મળે છે. આપણે અહી આવાજ એક પ્રસંગ અંગે વાત કરવાની છે કે જ્યાં એટલી શાહી રીતે મહારાણાનું રાજતિલક કરવામાં આવ્યું કે લોકો જોતા રહી ગયા.
આપણે અહી વાંકાનેર અંગે વાત કરવાની છે. કે જ્યાં હાલમાં ઘણો જ આનંદ અને ખુશીઓ નો માહોલ છે કારણ કે અહી રાજતિલક નો રૂડો અવસર છે. જણાવી દઈએ કે હાલમાં જ વાંકાનેરના ૧૬ માં મહારાણા તરીકે શ્રી કેશરી દેવ સિહજી નો આજે રાજ તિલક અને રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. આ રાજતિલક બાદ નગરના મહારાણા પ્રદેશની મુલાકાતે નીકળ્યા હતા આ સમયે આખા ગામના લોકો હાજર રહ્યા અને સૌ કોઈએ પોતાના મહારાણાનું ઘણું ભવ્ય રીતે સ્વાગત કર્યું.
આ ખાસ સમયે રાજ્યના ગોર અને મહંતો દ્વારા વૈદિક મંત્રોચાર દ્વારા મહારાણા બુ રાજતિલક કરાવવામાં આવ્યું આ ખાસ સમયે મહારાણા શ્રી કેશરી દેવ સિહજીએ પોતાના પારંપરિક વસ્ત્ર પરિધાન એટલે કે રાજસી પહેરવેશ પહેર્યો હતો. રાજતિલક વિધિ બાદ મહારાણા શ્રી કેશરી દેવ સિહજી વાજતે ગાજતે વેન્તેજ ગાડી સાથે ઘોડા પર બેસીને નગરયાત્રા કરી આ સમયે દરેક લોકોએ હરખ ઘેલા થઈને મહારાજ નું સ્વાગત કર્યું.
જો વાત નગરયાત્રા ના રૂટ અંગે કરીએ તો આ યાત્રા જુના દરબારગઢ થી શરુ થઈને પછી લુહાર શેરી તે બાદ મેઈન બજાર, ચાવડી ચોક, અને માર્કેટ ચોકથી થઈને દિવાનપરામાં શ્રી અમર સિહજી બાપુના બાવલા સ્ટેચ્યુ ચોક સુધી ગઈ કે જ્યાં મહારાણા શ્રી કેશરી દેવ સિહજી દ્વારા બાપુને હાર પહેરાવી ભાવવંદના કરવામાં આવી. જો કે હાલમાં નગરમાં દરેક લોકો મહારાણા ના રાજતિલક થી ઘણા ખુશ છે.
જણાવી દઈએ કે આ રાજ તિલકને લઈને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર રાજ પરિવારની પરંપરા મુજબ ૧૬ માં મહારાજા તરીકે રાજ તિલક વિધિ યોજાઈ રહી છે જે અવસરે રણજીત વિલાસ પેલેસ ખાતેની રાજ તિલક વિધિ સમારોહનું આયોજન કરાયું છે તેઓ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોની વ્યસ્તતાને પગલે આ અવસરે ઉપસ્થિત રહી શકશે નહિ તેમને રાજ તિલક અને રાજ્યાભિષેક અવસરે શુભકામનાઓ પાઠવી છે